SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર - ૧૦ મેઠાણ જેઠ સુદિ ૧૨ વંદના, સોનલાથી સવારે નીકળી ૧૦ કીલોમીટર મઠાણ આવ્યા. ત્યાં જીલ્લા પંચાયતના મકાનમાં ઊતર્યા. સવારમાં જ અમે સોનલાથી નીકળ્યા પછી નંદપ્રયાગ આવ્યા હતા. નંદપ્રયાગનું પહેલાં નામ કાસા-કાનાતું હતું. ઈસ્વીસન ૧૮૫૮થી એનું નંદપ્રયાગ નામ પડ્યું છે. નંદપ્રયાગમાં નિંદાકિની નદીનો અલકનંદા સાથે સંગમ થાય છે. નંદાકિનીનું લીલુંછમ પાણી અલકનંદાના પ્રવાહમાં ભળે છે. અહીં અલકનંદા ખૂબ જ જોરથી ઘોડાપૂરથી ઊછળતી-ઊછળતી વહે છે. નંદપ્રયાગ નાનું પાંચ-દશ હજારની વસ્તીવાળું શહેર છે. નંદા દેવીના શિખર ઉપરથી કે એવા કોઈ ઘાટથી વહેતી વહેતી આવે છે અને અલકનંદામાં ભળે છે. એટલે આ નંદપ્રયાગ છે. સંગમ-સ્થાન છે. નંદપ્રયાગથી આગળ નીકળી પુલથી નંદાકિની ઓળંગીને મૈઠાણમાં અમે આવ્યા હતા. હવે આખા રસ્તે બે-બે ત્રણ કિલોમીટરના અંતરે ગામો આવ્યા જ કરે છે. ગામો સડકથી થોડા ઉપર-નીચે હોય છે. કોઈક રસ્તા ઉપર પણ હોય છે. હવે ગામોમાં ચીકાર વસ્તી હોય છે. ૬૧ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy