________________
પત્ર - ૧૦
મેઠાણ
જેઠ સુદિ ૧૨ વંદના,
સોનલાથી સવારે નીકળી ૧૦ કીલોમીટર મઠાણ આવ્યા. ત્યાં જીલ્લા પંચાયતના મકાનમાં ઊતર્યા.
સવારમાં જ અમે સોનલાથી નીકળ્યા પછી નંદપ્રયાગ આવ્યા હતા. નંદપ્રયાગનું પહેલાં નામ કાસા-કાનાતું હતું. ઈસ્વીસન ૧૮૫૮થી એનું નંદપ્રયાગ નામ પડ્યું છે. નંદપ્રયાગમાં નિંદાકિની નદીનો અલકનંદા સાથે સંગમ થાય છે. નંદાકિનીનું લીલુંછમ પાણી અલકનંદાના પ્રવાહમાં ભળે છે. અહીં અલકનંદા ખૂબ જ જોરથી ઘોડાપૂરથી ઊછળતી-ઊછળતી વહે છે. નંદપ્રયાગ નાનું પાંચ-દશ હજારની વસ્તીવાળું શહેર છે. નંદા દેવીના શિખર ઉપરથી કે એવા કોઈ ઘાટથી વહેતી વહેતી આવે છે અને અલકનંદામાં ભળે છે. એટલે આ નંદપ્રયાગ છે. સંગમ-સ્થાન છે.
નંદપ્રયાગથી આગળ નીકળી પુલથી નંદાકિની ઓળંગીને મૈઠાણમાં અમે આવ્યા હતા.
હવે આખા રસ્તે બે-બે ત્રણ કિલોમીટરના અંતરે ગામો આવ્યા જ કરે છે. ગામો સડકથી થોડા ઉપર-નીચે હોય છે. કોઈક રસ્તા ઉપર પણ હોય છે. હવે ગામોમાં ચીકાર વસ્તી હોય છે.
૬૧ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only