________________
હિમાલયની પદ યાત્રા-૧૬
મહિનામાં ધરતીકંપનો મોટો આંચકો મધ્યરાત્રિએ આવેલો હતો. એ ધરતીકંપની અસર અમે ફરીએ છીએ તે પહાડી પ્રદેશમાં મોટી થઈ હતી. ઘણાં મકાનો તથા સ્કુલો પડી ગઈ છે. અહીંના લોકો ગરીબ છે. સરકાર પૈસા ખર્ચતી નથી.
જો કોઈ વિદ્યાપ્રેમી દાતાર આ સ્કુલોને બેઠી કરવા માટે દાન આપે તો ઘણી સ્કુલો બેઠી થઈ જાય. અત્યારે તો ઝાડ નીચે અથવા તૂટેલા-ફૂટેલાં સ્થાનોમાં સ્કુલો ચાલે છે. દાતારનું નામ આખા પ્રદેશમાં ચિરંજીવ થઈ જાય અને સાધુ-સાધ્વીઓને જો બદરીનાથ તરફ વિચરવું હોય તો ભવિષ્ય માટે આખો માર્ગ ખુલ્લો થઈ જાય. અમારા સાધુ-સાધ્વી આવે ત્યારે તમારે ઊતરવા જગ્યા આપવી, આટલી શરત રાખીને દાન આપવામાં આવે તો દયા અને આ માર્ગ ખુલ્લો કરવાનું એને શ્રેય મળે તેમ છે. દીપચંદભાઈ ગાર્ડ કે બીજા કોઈ દાતાર પચીસ-પચાસ લાખનો ખર્ચ કરે તો યે ઘણું કામ થાય તેમ છે.
આજથી સાઠ વર્ષ પહેલાં આ સડક નહોતી ત્યારે નદીકિનારે ગામ-ગામથી પગ રસ્તાઓ ઉપર થઈને બદરીનાથ જવાતું હતું. એ રસ્તો સડક કરતાં પચાસ-પોણોસો અથવા તેથી પણ વધારે કિલોમીટર ઓછો થતો હતો.
તે જમાનામાં લગભગ સિત્તેર-એંસી વર્ષ પૂર્વે પંજાબના પ્રકાશાનંદજી નામના સાધુ આવેલા હતા. તેઓ કાળી કાંબળી ઓઢતા હતા. એટલે સ્ત્રી મતીવાતા તરીકે તેમનું નામ પ્રસિદ્ધ
પ૯ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only