________________
હિમાલયની પદ યાત્રા-૧૬
થઈ છે. તેમનું નામ અનસૂયાપ્રસાદ બહુગુણા હતું, હવે ઉત્તરાધિકારી બનાવ્યા ત્યારે તેમનું દેવેન્દ્રદાસ નામ રાખવામાં આવ્યું છે. આ હવે અત્યારે ગુરુરામરાય દરબાર સાહેબ (દહેરાદૂન)ના દસમા ગુરુ છે.
સ્વર્ગવાસ પછી અગ્નિસંસ્કારની યાત્રામાં ચારે બાજુથી લોકો આવ્યા હતા. ‘મહંતની જા શિક્ષા ૩મિયાન યાત્રા હિંદુસ્તાન’ આવા ગગનભેદી નારાઓ સાથે એમનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.
આ ઋષિકેશ-બદરીનાથ માર્ગ ઉપર સૌથી મોટી મુશ્કેલી ક્યાં ઊતરવું તે સ્થાનની હોય છે. ઊભા રહેવાની અને નિરાંતે બેસી શકાય એવા સ્થાનની પણ જ્યાં મુશ્કેલી હોય ત્યાં તંબુ નાખવા માટે જગ્યા મળવી અત્યંત મુશ્કેલ હોય છે.
જે સ્થાનમાં હોટલો કે આશ્રમો હોય ત્યાં પણ ધંધાદારી વલણ થઈ ગયું છે. મોટી મોટી રકમ આપો તો જ જગ્યા મળે. ઉપરાંત, એમાં આપણા સાધુજીવનની મર્યાદાઓને કારણે એમાં ઊતરવું ફાવે પણ નહિ.
એક સ્કુલ જ એવું સ્થાન છે કે જ્યાં આપણને ફાવે. સ્કુલો રસ્તાથી નીચે કે ઉ૫૨ હોય ત્યાં જવું પડે. છતાં ત્યાં સ્થાન મળે. અધ્યાપકને મળવું પડે. સમજાવવું પડે.
ગયા વર્ષે (સં. ૨૦૫૫) અમે દિલ્હીમાં હતા ત્યારે ચૈત્ર
૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org