SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર ૫૪ POR વંદના, આ રસ્તામાં એક બાજુ પહાડ અને બીજી બાજુ નદીની ઊંડી ખીણ છે, વચમાં સડક છે તે પહાડોને સુરંગથી તોડીને બનાવેલી હોય છે. એટલે પહાડની મોટી ભેખડો પાસેથી પસાર થતાં કેટલીકવાર આપણા માથા ઉપર જ મોટી મોટી શિલાઓ લટકતી લાગે. જો શિલા પડી તો જીવન ત્યાં જ સમાપ્ત. વરસાદથી અંદરની માટી ભીની થઈ જાય અને ક્યારે શિલા પડે તેનો કોઈ જ ભરોસો નહિ. આ શિલાઓ પડે એને ભૂસ્ખલન કહે છે. Jain Education International ૧૫ લંઘાસુ (હિમાલય) જેઠ સુદ ૯ આવા ભૂસ્ખલનોના સમાચાર અહીંના છાપાઓમાં અવારનવાર આવ્યા જ કરતા હોય છે. સરકારે તંત્ર તો ગોઠવ્યું છે. ખબર પડે એટલે લશ્કરી ધોરણે પથરા ખસેડવા માટે ક્રેનો લઈને સરકારી માણસો પહોંચે. છતાં સરકારી તંત્ર એ સરકારી તંત્ર. રસ્તામાંથી શિલાઓ ખસેડતાં કલાકો નીકળી જાય. બેય બાજુ જતી આવતી મોટરો અટકી જાય. આજે જ સમાચાર છે કે બદરીનાથથી નીચે વીસ કીલોમીટર ઉપર આવા ભૂસ્ખલનથી એક હજાર જેટલી બસો-મોટો ફસાઈ ગઈ છે. અહીં આવનારે આવા જોખમ માટે તૈયારી રાખીને જ આવવાનું. રક્ષા કરનાર ભગવાન છે. એમ પાકી શ્રદ્ધા અને સંકલ્પથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy