________________
હિમાલયની પદ યાત્રા-૧૪
લોકો ઘણા ઘણા સુખી હતા. દહીં-દૂધ આદિ છૂટથી મળતા હતા. હવે જ્યાં ત્યાં ચાહ થઈ ગઈ છે.
પર્વતમાં ખૂબ જ જડીબુટ્ટીઓ છે. જાણકાર વૈદ્યો (ગામઠી ઘરગથ્થુ વૈદ્યો) ઘણા હતા. જડીબુટ્ટીથી જરાકમાં ભયંકર વ્યાધિઓ મટાડી દેતા હતા. પોતાના જ સ્વાનુભવની કેટલીયે વાતો એણે કરી. જૂના લોકો ભૂતકાળને ખૂબ વાગોળે છે.
લોકો ચોરી-બોરીમાં સમજે નહિ. પરસ્પર ખૂબ વિશ્વાસ અને સહાય કરવાનો ભાવ.
આજકાલ ગ્લુકોઝના બાટલાઓ, ઈંજેક્શનો, ગોળીઓ આ બધાએ દાટ વાળી દીધો છે. પ્રવાસીઓ ઘણા આવે છે. મોંમાગ્યા પૈસા આપે છે. એટલે સ્થાનિક રહેવાસીઓને ખૂબ જ મોંઘી ચીજો લેવી પડે છે.
ગોચરથી કર્ણપ્રયાગ આવતાં, રસ્તામાં અમૃતસરથી સુવર્ણમંદિરથી પગે ચાલીને આવતો શીખોનો સંઘ મળ્યો. રોજ ચાલીસ-પિસ્તાલીસ કીલોમીટર ચાલ્યા કરે. રાત-દિવસ ચાલ્યા કરતા હોય. ગોવિંદઘાટ પાસે હેમકુંડ સાહેબ એમનું મોટું તીર્થધામ છે. શીખો સાથે ઘણી વાતો આપણા સાધુ-સાધ્વી આદિ લોકોએ કરી. જૈન ધર્મ કેવો છે, એની એમને ખબર પણ હોય નહિ. એમને નવાઈ લાગે.
આ રસ્તે યાત્રાળુઓનો ઘણો પ્રવાહ ચાલતો હોય છે. મુખ્યતયા મોટરમાં જ જતા હોય છે. પગે ચાલતા પણ મળે.
Jain Education International
For Private & Personal Use Only
૫૩
www.jainelibrary.org