________________
હિમાલયની પદ યાત્રા-૧૪
આપણને ફાવે જ નહિ. સાધ્વીજી તો આવામાં ઊતરી શકે જ નહિ.
એટલે કર્ણપ્રયાગમાં યોગ્ય સ્થાન ન મળવાથી, બીજા ૧૦ કીલોમીટર ચાલીને લંઘાસુ આવ્યા છીએ. એકંદર વીસ કીલોમીટર સળંગ ચાલીને અહીં આવ્યા. અહીં સડક નીચે મોટી સ્કુલ અલકનંદાના કિનારે છે. અમારામાં ઘણાને અટ્ટમ હોવાથી અહીં પાંચ-છ દિવસ માટે રોકાયા છીએ. બે દિવસ સતત રાત-દિવસ લગભગ વરસાદ ચાલુ રહ્યો. આગળ જઈ શકાય એમ હતું જ નહિ. એટલે અહીં રોકાયા છીએ. અહીં ઋતુ જલ્દી બદલાઈ જાય છે.
અહીં અમે જ્યાં ઊતર્યા છીએ તે સરકારી સ્કુલ અને કોલેજ છે. લગભગ ૬૦૦ વિદ્યાર્થીઓ આજુબાજુના પહાડો આદિમાંથી ભણવા આવે છે. એમને આવવા-જવામાં પણ એકાદ કલાક લાગતો હોય છે.
અહીંનું પહાડી જીવન આપણને તો બહુ કષ્ટમય લાગે, એ લોકો પેઢીઓથી ટેવાઈ ગયા હોવાથી એમને બહુ ન લાગે. પણ મેદાનવાળા પ્રદેશમાં નોકરી આદિ માટે ગયેલા ઘણા અહીં પાછા આવતા નથી. પહેલાં કરતાં અર્ધી વસ્તી ખાલી થઈ ગઈ છે એમ અહીનાં ચોકીયાતનું કહેવું થયું.
અહીંનો ચોકીયાત ભજનસિંગ કોંગ્રેસી છે. ભૂતકાળની ઘણી ઘણી વાતો કરે છે. પહાડમાં વાઘ-ચિત્તા આદિ જંગલી જાનવરોનો ભય તથા બીજાં અનેક કષ્ટ હોવા છતાં, ભૂતકાળમાં
પ ૨ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org