SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર - ૧૩ ગૌચર જેઠ સુદિ ૫ વંદના, ઘોલતીરથી ૮ કિલોમીટર દૂર ગોચર જવા નીકળ્યા. બે પહાડ વચ્ચે પા-અડધો કીલોમીટર જેટલું મેદાન હોય એવું પહેલી જ વાર જોવા મળ્યું. ત્રણેક કિલોમીટર જેટલા પ્રદેશમાં આવો વિસ્તાર છે. એમાં ખેતી-ગામ-ઘરો-મોટી સરકારી હોસ્પીટલ વગેરે છે. એક મોટા મેદાનમાં શીખોનો મોટો કેમ્પ પડેલો હતો. ત્યાં ગુરુદ્વારા બાંધવાની તેમની યોજના છે. રસ્તા ઉપરથી જે કોઈ પસાર થાય તેમને બોલાવી બોલાવી આ શીખો શરબત-ચા વગેરે પીવડાવતા હતા. તથા જમાડતા હતા. ગોવિંદઘાટ પાસે હેમકુંડ નામનું સ્થાન છે. બદરીનાથની પહેલાં તથા જોશીમઠ ગયા પછી ગોવિંદઘાટ નામનું સ્થાન આવે છે. આ હેમકુંડમાં શીખોના છેલ્લા ગુરુ ગોવિંદસિંહે મોટી તપશ્ચર્યાસાધના કરી હતી. એટલે આ હેમકુંડની યાત્રાએ શીખોના જથ્થાઓના જથ્થા જાય છે. ત્યાં પણ શિયાળામાં બરફ ઘણો પડવાથી એ સ્થાન બંધ થઈ જાય છે. વૈશાખ મહિનામાં એ સ્થાન ખૂલે છે એટલે આ રસ્તેથી ઘણા જ યાત્રાળુઓ પસાર થાય છે. ઘોલતીરથી ત્રણેક કિલોમીટર ચાલ્યા પછી, પહાડ-ખીણનદી-ઘટ્ટ ઝાડી, જાતજાતનાં ઘણાં ઘણાં ઊંચાં તથા નાનાં વૃક્ષો ४८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy