________________
પત્ર - ૧૩
ગૌચર
જેઠ સુદિ ૫ વંદના, ઘોલતીરથી ૮ કિલોમીટર દૂર ગોચર જવા નીકળ્યા.
બે પહાડ વચ્ચે પા-અડધો કીલોમીટર જેટલું મેદાન હોય એવું પહેલી જ વાર જોવા મળ્યું. ત્રણેક કિલોમીટર જેટલા પ્રદેશમાં આવો વિસ્તાર છે. એમાં ખેતી-ગામ-ઘરો-મોટી સરકારી હોસ્પીટલ વગેરે છે. એક મોટા મેદાનમાં શીખોનો મોટો કેમ્પ પડેલો હતો.
ત્યાં ગુરુદ્વારા બાંધવાની તેમની યોજના છે. રસ્તા ઉપરથી જે કોઈ પસાર થાય તેમને બોલાવી બોલાવી આ શીખો શરબત-ચા વગેરે પીવડાવતા હતા. તથા જમાડતા હતા.
ગોવિંદઘાટ પાસે હેમકુંડ નામનું સ્થાન છે. બદરીનાથની પહેલાં તથા જોશીમઠ ગયા પછી ગોવિંદઘાટ નામનું સ્થાન આવે છે. આ હેમકુંડમાં શીખોના છેલ્લા ગુરુ ગોવિંદસિંહે મોટી તપશ્ચર્યાસાધના કરી હતી. એટલે આ હેમકુંડની યાત્રાએ શીખોના જથ્થાઓના જથ્થા જાય છે. ત્યાં પણ શિયાળામાં બરફ ઘણો પડવાથી એ સ્થાન બંધ થઈ જાય છે. વૈશાખ મહિનામાં એ સ્થાન ખૂલે છે એટલે આ રસ્તેથી ઘણા જ યાત્રાળુઓ પસાર થાય છે.
ઘોલતીરથી ત્રણેક કિલોમીટર ચાલ્યા પછી, પહાડ-ખીણનદી-ઘટ્ટ ઝાડી, જાતજાતનાં ઘણાં ઘણાં ઊંચાં તથા નાનાં વૃક્ષો
४८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org