________________
આવ્યા.
પત્ર ૧૦
ખાંકરા (જિલ્લા રુદ્રપ્રયાગ) જેઠ સુદ ૧
વંદના,
હોટલના છાપરાથી નીકળી પાંચેક કીલોમીટર દૂર કલિયાસોડ
ત્યાં નદીના કિનારે કાલીમાતાનું તથા ભૈરવનાથનું પ્રાચીન મંદિર છે. સડકના કિનારે નાળિયેર, કંકુ, ચુંદડી વગેરે પૂજાપાની ઘણી દુકાનો લાગેલી છે. ભક્તો સડકથી નીચે ઊતરીને માતાજીના મંદિરમાં જઇને પૂજાપા ચડાવતા હોય છે. પહેલાં તો અહીં માતાજીની માનતા નિમિત્તે હિંસા હતી. હવે બંધ થઈ ગઈ છે એમ ત્યાં પૂજા પાઠ આદિ કરતા પંડિતજીએ કહ્યું. આ પંડિતજી બહુ ભાવિક છે. અમારી સાથે એ સાતેક કીલોમીટર ચાલીને ઠેઠ ખાંકરા સુધી લગભગ આવ્યા.
ખાંકરાથી સડકથી નીચે ઊતરીને સ્કુલનું મકાન છે. એમાં અમે મુકામ કર્યો.
કલિયાસોડ અમે રોકાયા નહોતા, પણ કોઈએ રોકાવું હોય તો PW.D.ના મકાનમાં એ લોકો સ્થાન આપવા તૈયાર હતા.
૩૮
ખાંકરાથી સાંજે નીકળીને પાંચ કીલોમીટર દૂર નરકોટા થઈને, નરકોટાથી બે કીલોમીટર દૂર એક હોટલ પાસે ખુલ્લી જગ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org