________________
હિમાલયની પદ યાત્રા-૯
એક પાકા બાંધેલા રૂમમાં સાધ્વીજીનો સમાવેશ થઈ ગયો.
બહાર ઘાસની ચારે બાજુ ખુલ્લી ઝૂંપડીમાં અમે મુકામ કર્યો. નીચે પથરા અને કાંકરા. હોટલવાળાએ લોકોને ચા-પાણી કરાવવાની ત્રણ પાટો આપી. એના ઉપર અમે ત્રણ સાધુઓએ મુકામ કર્યો.
બાકી નીચે કાંકરામાં થર્મોકોલ પાથરીને તેના ઉપર ગોઠવાઈ ગયા. અમે સૂઈ ગયા.
ખીણના કિનારા ઉપર જ ઝૂંપડી હતી. રાત્રે એક વાગે ઓચિંતો વરસાદ શરૂ થયો. ખુલ્લામાં જે સૂતા હતા તે બધા પણ ઝૂંપડીમાં ભરાયા. ઝૂંપડી ચારે બાજુ ખુલ્લી હોવાથી વાછટ આવવા લાગી અને ઉપર ઘાસના છાપરામાંથી પાણી પડવા લાગ્યું. ગમે તેમ કરીને અમે બધાએ રાત પસાર કરી. બરાબર કપરો અનુભવ થયો.
અહીં ઋતુ પરિવર્તનશીલ. બપોરે ભયંકર ઉનાળો હોય, સાંજે કે રાત્રે ચોમાસું બેસી જાય.
સાધ્વીજીનું મકાન બિલકુલ સલામત હતું.
હવે રસ્તો સામાન્ય રીતે ચડાણવાળો છે. ક્યાંક ઉતરાણવાળો અને સામાન્ય રીતે સાંકડો થઈ ગયો છે. મોટરો ખૂબ આવે છે. સલામતી માટે ઠેર-ઠેર જુદાં જુદાં અંગ્રેજી અને હિંદીમાં બોર્ડે રસ્તા ઉપર લગાવેલાં છે.
૩૭ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only