SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર - ૬ શાશ્વતધામ, લછમૌલિ વૈશાખ વદિ ૧૧ વંદના, સવારમાં શાશ્વતધામ વિહાર કરી લછમૌલિ બાગવાન ગામ પાસેથી પસાર થઈ લછમૌલિ આશ્રમમાં આવ્યા. સ્કુલથી આશ્રમ પાંચેક કિલોમીટર દૂર હશે. સડકથી જરાક જ નીચે ઉતરીને લછમૌલિ આશ્રમમાં જવાય છે. આ આશ્રમનું નામ શાશ્વતધામ છે. આશ્રમના એક જ લાંબા મકાનમાં મહાદેવજીનું મંદિર, માતાજીનાં મંદિર, બીજાં પણ નાનાં નાનાં મંદિરો, ગુફામંદિર આદિ છે. યાત્રિકોને ઊતરવા માટે પણ બે-ત્રણ રૂમો છે. આ જ આશ્રમના મકાનમાં એક છેડા ઉપર નાની હોસ્પીટલ જેવું છે. તેમાં ડોક્ટરને બેસવાનું, દર્દીને જોવાનું તથા સુવાડવાનું સ્થાન, એક્ષ-રેનું મશીન- લેબોરેટરી, દવાઓનો સ્ટોર વગેરે વગેરે નાના સ્થાનમાં પણ સુંદર રીતે સમાવી લીધું છે. બરાબર અલકનંદાના કિનારા ઉપર જ આ સ્થાન આવેલું છે. યાત્રિકોને જમવા માટે ભંડારો પણ છે. આવનારા યાત્રિકોને જ્યાં મફત જ જમાડવામાં આવતા હોય, તેને ભંડારો કહે છે. રોજ સો-સવાસો માણસો ભંડારામાં જમતા હોય છે. અહીં બધા જ બાવા-સંન્યાસીઓને સાધુ કહેવામાં આવે છે. ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy