________________
પત્ર - ૬
શાશ્વતધામ, લછમૌલિ
વૈશાખ વદિ ૧૧
વંદના,
સવારમાં શાશ્વતધામ વિહાર કરી લછમૌલિ બાગવાન ગામ પાસેથી પસાર થઈ લછમૌલિ આશ્રમમાં આવ્યા. સ્કુલથી આશ્રમ પાંચેક કિલોમીટર દૂર હશે.
સડકથી જરાક જ નીચે ઉતરીને લછમૌલિ આશ્રમમાં જવાય છે. આ આશ્રમનું નામ શાશ્વતધામ છે.
આશ્રમના એક જ લાંબા મકાનમાં મહાદેવજીનું મંદિર, માતાજીનાં મંદિર, બીજાં પણ નાનાં નાનાં મંદિરો, ગુફામંદિર આદિ છે. યાત્રિકોને ઊતરવા માટે પણ બે-ત્રણ રૂમો છે.
આ જ આશ્રમના મકાનમાં એક છેડા ઉપર નાની હોસ્પીટલ જેવું છે. તેમાં ડોક્ટરને બેસવાનું, દર્દીને જોવાનું તથા સુવાડવાનું સ્થાન, એક્ષ-રેનું મશીન- લેબોરેટરી, દવાઓનો સ્ટોર વગેરે વગેરે નાના સ્થાનમાં પણ સુંદર રીતે સમાવી લીધું છે. બરાબર અલકનંદાના કિનારા ઉપર જ આ સ્થાન આવેલું છે.
યાત્રિકોને જમવા માટે ભંડારો પણ છે. આવનારા યાત્રિકોને જ્યાં મફત જ જમાડવામાં આવતા હોય, તેને ભંડારો કહે છે. રોજ સો-સવાસો માણસો ભંડારામાં જમતા હોય છે. અહીં બધા જ બાવા-સંન્યાસીઓને સાધુ કહેવામાં આવે છે.
૨૪ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org