________________
હિમાલયની પદ યાત્રા-પ
સામે જ બરાબર હિમાલયનો પહાડ, વચમાં શાંત વહેતી અલકનંદા, અને આ કિનારે સ્કુલ. સ્કુલની લાંબી પરસાળમાં મુકામ કર્યો.
જિંદગીમાં પહેલી જ વાર આવા અદ્ભુત સ્થાનનો અનુભવ થયો.
માણસનું મન પરમાત્મામાં સ્વાભાવિક રીતે જ, વિના પરિશ્રમે લાગી જાય એવું સ્થાન હતું.
આપણે કોઈ લાંબા ઝરૂખામાં બેઠા હોઈએ, પાસેથી જ અલકનંદા જેવી ગંગા નદી વહેતી હોય, સામે હિમાલયનો પહાડ હોય, અપાર શાંત અને એકાંત વાતાવરણ હોય. આવા સ્થાનમાં રાત્રિના એકાંત સમયમાં બહારના પદાર્થો જ્યાં હોય જ નહિ, ત્યાં પરમાત્માનું સાંનિધ્ય અનુભવવું બહું સહેલું થઈ જાય.
થોડીવારમાં ત્યાંના નવિન કાંડપાલ નામના શિક્ષક આવ્યા. બોલ્યા કે I am specialist in Sanskrit, એટલે અમે તો સંસ્કૃતમાં વાતો કરવાનું શરૂ કરી દીધું.
આ સ્થાન શાશ્વતધામ નામની સંસ્થા તરફથી ચાલે છે. સ્કુલમાં બાવન (૫૨) છોકરાઓ ભણે છે.
Jain Education International
For Private & Personal Use Only
૨૩
www.jainelibrary.org