________________
હિમાલયની પદ યાત્રા-૪
આ હિમાલયનો પ્રવાસ છે, બદરીનાથની યાત્રા છે. નવી નવી અગવડો આવે છે. ભગવાનની અને ગુરુમહારાજની કૃપાથી અગવડોને પાર કરતા જઈએ છીએ.
લગભગ ૧૫૦ વિદ્યાર્થિનીઓ અહીં ઊંચા ઊંચા પહાડમાંથી ચાલીને ભણવા આવે છે. કેટલાકને એક કલાક તો ચાલીને આવવામાં થાય છે. છતાં આવે છે. આવા પહાડી પ્રદેશમાં પણ શિક્ષણનો ઘણો પ્રસાર વધી રહ્યો છે. પોષાકમાં શહેરી કન્યાઓ જેવી જ આ કન્યાઓ દેખાય છે.
સાંજે પ્રયાગ જોવા ગયા. અમારા સ્થાનથી ખૂબ ખૂબ નીચે ઊતરવાનું હતું. લગભગ ૨૫૦ જેટલાં ઊંચા ઊંચાં પગથિયાં ઊતર્યા.
વચમાં રઘુનાથજીનું પ્રાચીન મંદિર છે. પ્રથમ શતાબ્દીમાં આવેલા કોઈક પ્રવાસીના ઉલ્લેખવાળો શિલાલેખ છે. ભારતના દિવ્ય ગણાતાં ૧૦૮ મંદિરોમાં આ મંદિરનું સ્થાન છે. પત્થરમાં કોતરેલી રામચંદ્રની ઊભી મૂર્તિ છે.
એમ કહે છે કે રાવણનો વધ કર્યા પછી રામચંદ્રજીને પશ્ચાત્તાપ થયો કે “રાવણ બ્રાહ્મણ હતો એટલે મેં બ્રહ્મહત્યા કરી.” એટલે બ્રહ્મહત્યાના પાપના નિવારણ માટે રામચંદ્રજીએ અહીં તપશ્ચર્યા કરી હતી. મંદિરની બાજુમાં જ રામચંદ્રજીએ કરેલા તપના સ્થાનને બતાવવામાં આવે છે. એ પણ અમે જોયું.
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org