________________
હિમાલયની પદ યાત્રા-૨
રસ્તામાં પ્રવાસીઓ પણ આ બાવાજીઓને બિસ્કીટ, ફળ આદિ વહેંચતા હોય છે. આ જાતની દાનની પ્રવૃત્તિ અહીં મોટા પ્રમાણમાં ચાલે છે. - આની સાથે સરખામણી કરતાં, એમ નિરંતર લાગે છે કે આખો જૈન સંઘ સાધુ-સાધ્વીઓની કેટલી બધી સંભાળ રાખે છે- કેટલી બધી અપાર સેવા કરે છે. આપણી સાધનામાં નિરંતર ખડે પગે સહાય કરતો જૈન સંઘ જોઈએ ત્યારે મસ્તક નમી જાય છે. ઋષિકેશ તથા હરદ્વારમાં સેંકડો-હજારો બાવાજીઓ જોવા મળે કે જેનું ભિક્ષુક જેવું જ મૂલ્ય હોય છે, ગમે તેવા પણ સાધુ-સાધ્વીનું જૈન સંઘમાં જે ગૌરવભર્યું સ્થાન છે તે અત્યંત આશ્ચર્યકારક છે. ખરેખર જરૂર હોય તો આ ગૌરવભર્યા સ્થાનને માટે આપણે યોગ્ય થઈએ અને તેને શોભાવીએ તેની છે. જૈન સંઘ જે આપણી સેવા કરે છે તેને શતમુખે શોભાવીએ એ આપણી ખાસ ફરજ છે. સતત આરાધના–
નિસ્પૃહતા-સંઘમાં શાંતિ-નિરાભિમાનતા-નિરાડંબરતાનિરાગ્રહતા-નિષ્પક્ષતા-વિશાળતા-નમ્રતા-ઉદારતા વગેરે ગુણો ઉપર આપણે ધ્યાન આપીએ એ ખૂબ ખૂબ જરૂરી છે. સુષ વિંઃ વહુના?
સાધુસાધ્વીઓ તથા શાસન માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેનાર આપણા જૈન સંઘ માટે ખૂબ જ માન પ્રગટ થાય છે.
આજે વૈશાખ વદ છઠે સિદ્ધાચલ ઉપર (પાલિતાણામાં) આદીશ્વર દાદાની વર્ષગાંઠ છે. અમે પણ આદીશ્વરદાદાની ભૂમિ તરફ જઈ રહ્યા છીએ.
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org