________________
હિમાલયની પદ યાત્રા-૧
સ્વામી ચિદાનંદજી સરસ્વતી મુનિજીના નામથી પણ પ્રસિદ્ધ છે. રાજકારણ તથા સામાજિક દૃષ્ટિએ ઘણા આગળ પડતા છે. આશ્રમનો ઘણો વિકાસ એમણે કર્યો છે. હંમેશા કલાકો સુધી નિયમિત રીતે મૌનમાં રહે છે. આશ્રમની અંદર ઘણી ઘણી જાતની રચનાઓ છે. જે આબેહુબ લાગે છે. રચનાઓ કેવી ભાવવાહી છે અને આબેહુબ છે એ તો જે નજરે જુએ તેને જ ખ્યાલ આવે. ઉદાહરણ તરીકે શબરીના બોરનો રામાયણનો પ્રસંગ જ્યાં પત્થરની રચનામાં ઉતાર્યો છે ત્યાં જોનારને એવું સાચું જ બોર લાગે કે ઉપાડીને મોંમાં મૂકવાનું મન થઈ જાય. આવી આવી ઘણી ઘણી રચનાઓ આશ્રમની અંદર છે. આશ્રમમાં જુદી જુદી કથાઓ, પ્રવચનો, પ્રાર્થના આદિ ચાલ્યા જ કરતાં હોય છે.
આશ્રમની બહાર આંગણામાં જ ગંગા નદી વહે છે. ત્યાં એસી લાખ રૂપિયા ખર્ચીને આરસનો ખૂબ મોટો ઘાટ બાંધેલો છે. હંમેશા સાંજે ગંગા મૈયાની આરતી ઊતરે છે. સંગીતમય ભાવના થાય છે. હોમ-હવન આદિ થાય છે. સાંજે જે આ કાર્યક્રમ થાય છે તે ખૂબ જ ખૂબ આકર્ષક હોય છે, સેકડોની-હજારોની મેદની રોજ ભેગી થાય છે. મુનિજી પોતે ભાવનામાં જોડાય છે.
પ્રસંગે પ્રસંગે મોટી મોટી કથાઓ આ ઘાટ ઉપર યોજાય છે. આ ઘાટનું વાતાવરણ અભુત છે. અમે રોજ સવારમાં ત્રણ વાગે લગભગ આ ઘાટ ઉપર બેસીને જાપ કરતા હતા.
દસ-બાર વર્ષથી માંડીને કિશોર કહેવાય એવા વેદપાઠી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org