________________
હિમાલયની પદ યાત્રા-૧
ન હોવાથી રીક્ષાચાલકોને પણ ખબર હોતી નથી. એટલે છાયા ટોકીઝની પાસે હીરાલાલ માર્ગ ઉપર આપણું દેરાસર છે તેમ તપાસ કરે તો જ મળે. ત્યાં બીજું દિગંબર મંદિર પણ છે. શ્રી શાંતિનાથ ભગવાનનું શ્વેતાંબરોનું દેરાસર છે. પાટણના ચિનુભાઈ નામે એક શ્રાવક ભાઈએ ચાલીસેક લાખ રૂપિયા ખર્ચીને દેરાસર બંધાવ્યું છે, તથા પ્રતિષ્ઠા કરી છે.
ઋષિકેશ ઘણું લાંબુ પથરાયેલું છે. આપણા દહેરાસરથી ચાર કિલોમીટર દૂર રામઝૂલા નામે ગંગાજી ઉપર ઝૂલતો પુલ છે. ઋષિકેશમાં બજારનો ભાગ બાદ કરીને આગળ ચાલતાં બંને બાજુ જુદા જુદા આશ્રમો જ આશ્રમો છે. રામઝૂલાની નજીકમાં જ સ્વામી શિવાનંદનો આશ્રમ છે કે જે દિવ્યજીવનસંઘના નામે ઓળખાય છે. લાખો આંખોના ઓપરેશન કરનાર ગુજરાતના ડૉ. અધ્વર્યુ આ આશ્રમના ભક્ત હતા. છેલ્લો પોતાનો દેહ પણ તેમણે આ આશ્રમમાં જ છોડ્યો હતો. - રામઝૂલા છોડ્યા પછી ગંગાની પેલી પાર ગયા બાદ ત્રણ ચાર કીલોમીટરમાં આશ્રમો જ આશ્રમો છે. અમે પરમાર્થનિકેતન આશ્રમમાં ત્યાંના મુખ્ય સ્વામી ચિદાનંદજી સરસ્વતીની ઇચ્છાથી ગયા હતા. રામઝૂલા પછીનો પ્રદેશ સ્વર્ગાશ્રમના નામે પ્રસિદ્ધ છે. તેમાં પરમાર્થનિકેતન ઘણો મોટો આશ્રમ છે. લગભગ બારસો જેટલા રૂમ હશે. વૈભવી તથા સામાન્ય એમ બધી કક્ષાના રૂમો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org