________________
પત્ર - ૧
|| શ્રી શંશ્વરપાર્શ્વનાથાય નમઃ |
શ્રી મરિનાથાય નમઃ | अस्त्युत्तरस्यां दिशि देवतात्मा, हिमालयो नाम नगाधिराजः । पूर्वापरौ वारिनिधी वगाह्य स्थितः पृथिव्यामिव मानदण्डः ॥१॥
- कुमारसम्भवे कालिदासः
શવપુરી
વૈશાખ વદિ ૪ આ.મ.શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ,
વંદના, સુખશાતામાં હશો, અત્ર પણ દેવ-ગુરુકૃપાએ સુખશાતા છે.
હરિદ્વારથી વૈશાખવદિ એકમે અમારી બદરીનાથની યાત્રા શરૂ થઈ છે.
હરિદ્વારથી લગભગ ૧૩ કિલોમીટર વીરભદ્ર ગામ રસ્તા ઉપર છે. ત્યાં સાધન આશ્રમ છે. આખા રસ્તે રહેવાય એવું આ એક જ સ્થાન છે અને યોગ્ય અંતરે છે. મુખ્ય સંન્યાસી અય્યતાનંદજી છે, બંગાળી છે, બહુ સભાવથી આપણને સગવડો આપે છે.
ત્યાંથી સાંજે લગભગ આઠેક કિલોમીટર દૂર ઋષિકેશમાં આપણા દેરાસરે આવ્યા. ફરવા આવનારા આપણા લોકોને ખબર જ નથી હોતી કે ઋષિકેશમાં આપણું દેરાસર છે. મુખ્ય રસ્તા ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org