________________
હિમાલયની પદ યાત્રા-૧
બટુકોની અહીં મોટી મંડળી છે. બધાએ ફરજિયાત ધોતી પહેરવાની હોય છે, ચોટી રાખવાની હોય છે, ઉદાત્ત-અનુદાત્ત-સ્વરિત વગેરે પદ્ધતિથી આ બટુકો વેદનો પાઠ કરતા હોય છે.
આપણી પાઠશાળા મહેસાણાની હોય કે બીજે સ્થાને હોય, આ ફરજિયાત ધોતીના પોશાકનો નિયમ હોવો જ જોઈએ. અધ્યાપક તથા વિદ્યાર્થીઓએ આ નિયમ પાળવો જ જોઈએ. તો
આ પ્રાચીન પોશાકના સંસ્કારો સચવાઈ રહેશે. સમાજના બીજા માણસોથી અલગ તરી આવે એવો ધાર્મિક શિક્ષકનો પોષાક હોવો જ જોઈએ.
આ બધું તમે નજરે જુઓ તો જ તેની સુંદરતાનો, આકર્ષકતાનો ખ્યાલ આવે.
આ પરમાર્થનિકેતન સિવાય ગીતાભવન નં.૧, ૨, ૩, ૪, ૫ ના આશ્રમો છે. કાલીકમલીવાલાનો આશ્રમ પણ અહીં જ છે.
ગીતાભવનમાં ગીતાપ્રેસ ગોરખપુરનું કેન્દ્ર આવેલું છે. દિવસોના દિવસો સુધી રહેનારને કોઈ પણ ચાર્જ આપવાનો હોતો નથી. એટલું જ નહિ, પણ બોર્ડ લગાવ્યું છે કે કોઈએ અહીં કંઈ પણ ભેટ આપવાની નથી. ‘પયા મેર ન ચડા'. મેં પૂછ્યું કે તમે કંઈ પણ યાત્રિકો પાસેથી ન લો, અને સેંકડો કર્મચારીઓ આશ્રમની વ્યવસ્થા માટે રાખો તો પછી તમારું તંત્ર ચાલે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org