SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ હિમાલયની પદ યાત્રા-૧ બટુકોની અહીં મોટી મંડળી છે. બધાએ ફરજિયાત ધોતી પહેરવાની હોય છે, ચોટી રાખવાની હોય છે, ઉદાત્ત-અનુદાત્ત-સ્વરિત વગેરે પદ્ધતિથી આ બટુકો વેદનો પાઠ કરતા હોય છે. આપણી પાઠશાળા મહેસાણાની હોય કે બીજે સ્થાને હોય, આ ફરજિયાત ધોતીના પોશાકનો નિયમ હોવો જ જોઈએ. અધ્યાપક તથા વિદ્યાર્થીઓએ આ નિયમ પાળવો જ જોઈએ. તો આ પ્રાચીન પોશાકના સંસ્કારો સચવાઈ રહેશે. સમાજના બીજા માણસોથી અલગ તરી આવે એવો ધાર્મિક શિક્ષકનો પોષાક હોવો જ જોઈએ. આ બધું તમે નજરે જુઓ તો જ તેની સુંદરતાનો, આકર્ષકતાનો ખ્યાલ આવે. આ પરમાર્થનિકેતન સિવાય ગીતાભવન નં.૧, ૨, ૩, ૪, ૫ ના આશ્રમો છે. કાલીકમલીવાલાનો આશ્રમ પણ અહીં જ છે. ગીતાભવનમાં ગીતાપ્રેસ ગોરખપુરનું કેન્દ્ર આવેલું છે. દિવસોના દિવસો સુધી રહેનારને કોઈ પણ ચાર્જ આપવાનો હોતો નથી. એટલું જ નહિ, પણ બોર્ડ લગાવ્યું છે કે કોઈએ અહીં કંઈ પણ ભેટ આપવાની નથી. ‘પયા મેર ન ચડા'. મેં પૂછ્યું કે તમે કંઈ પણ યાત્રિકો પાસેથી ન લો, અને સેંકડો કર્મચારીઓ આશ્રમની વ્યવસ્થા માટે રાખો તો પછી તમારું તંત્ર ચાલે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy