________________
હિમાલયની પદ યાત્રા-૨૫
રચના કરતાં કરતાં કંઈક વિચારવા કે થોભવા જેવું લાગે ત્યાં વ્યાસજી કૂટ શ્લોક લખવાનું કહે કે જેનો અર્થ સમજતાં વાર લાગે. મહાભારતમાં આવા કૂટ શ્લોક વચમાં આવ્યા જ કરે છે. ગણપતિ એ શ્લોકને સમજવા માટે થોડું અટકે ત્યાં તો વ્યાસજી આગળ લખવાનું બધું મનમાં ગોઠવી દે.
આ વાત મારી લગભગ ૧૨-૧૩ વર્ષની ઉંમરે મારા સંસ્કૃતિના અધ્યાપક ગુરૂશ્રી ગિરિજાશંકર મયાશંકર શાસ્ત્રીજીએ અમદાવાદમાં મને કહેલી તે જે વાત અહીં ગણેશગુફામાં અને વ્યાસગુફામાં ત્યાંના પૂજારી પાસેથી સાંભળવા મળી. જે જે આવે તેમને પૂજારી આ વાત સંભળાવતા હોય છે.
વ્યાસગુફામાં પેસતાં જ એક પત્થર પડેલો છે. તેના ઉપરનું લખાણ કોઈ વાંચી શકતું નથી, એમ મને કહેવામાં આવ્યું. મેં જોયું તો ટિબેટન લિપિમાં “ૐ મણિપભે હૈં.' પાંચવાર લખેલું હતું. આપણે જેમ “નમો અરિહંતાણં' નો પાઠ કરીએ છીએ તેવી રીતે મહાયાન બૌદ્ધોમાં “ૐ મણિપદ્મ હું નો પ્રચાર છે. આ જોતાં એમ લાગ્યું કે કોઈક કાળે આ ગુફા બૌધ્ધોના તાબામાં રહી હશે. આદિ શંકરાચાર્યે બૌધ્ધોને આ પ્રદેશમાંથી હાંકી કાઢ્યા હતા એમ ઈતિહાસ કહે છે.
માનાથી ટિબેટ જવાનો પગદંડીનો રસ્તો છે. પહેલાં આ રસ્તેથી અહીં વ્યવહાર ચાલતો હતો. બે દિવસમાં તિબેટ પહોંચી જવાય છે. પહાડમાં કેડીનો રસ્તો છે. માનાથી ૪૫ કિલોમીટર
૧૦૧ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only