SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર - ૨૫ બદરીનાથ જેઠવદિ, ૫ વંદના આપણી ધર્મશાળાથી ૫ કીલોમીટર દૂર માના ગામ છે. ભારતનું આ પ્રદેશનું આ છેલ્લું ગામ છે. તે પછી હિમાલયના પહાડો જ પહાડો છે. ગામ તરીકે માણસો વસી શકે એવી ભૂમિ જ પછી નથી. માનામાં ગણેશગુફા છે. ત્યાં ગણેશજીની મૂર્તિ છે. ત્યાંના પૂજારી બધી વાતો આવનારાને સમજાવે છે. આ ગુફામાં અઢાર પુરાણો તથા મહાભારત ગણેશજીએ લખ્યાં તેનાથી થોડે દૂર ઉંચે ચડીએ એટલે વ્યાસ ગુફા આવે છે. વ્યાસજી માનસિક રીતે કહેતા જાય અને ગણેશજી ગણેશગુફામાં લખતા જાય. આ રીતે અઢાર પુરાણો તથા મહાભારત અહીં રચાયાં છે અને લખાયાં છે. એ અંગે એક લોકકથા અહીં બહુ જ પ્રસિદ્ધ છે. વ્યાસજીને પુરાણો લખાવવાં હતાં, પણ ઝડપથી લખનારા કોઈ મળે નહિ. ગણેશજી મળ્યા. ગણેશજીએ શરત કરી. બધું હું લખું પણ તમારે કયાંય પણ અટકવાનું નહિ. સામે વ્યાસજીએ શરત મૂકી કે સમજીનેજ તમારે લખવાનું. એટલે મહાભારતની ૧OO Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy