________________
હિમાલયની પદ યાત્રા-૨૪
તે પછી ઓધવજી, ગરૂડજી આદિની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. આ સમયે ઘણા માણસો જુદા જુદા સ્તોત્રપાઠ પણ કરતા હોય છે.
આ વિધિ લગભગ બે કલાક ચાલે છે. પછી ભક્તો નમે છે. તેમને પ્રસાદ આપવામાં આવે છે.
અમે જ્યારે મૈઠાણમાં ગયા હતા ત્યારે ત્યાંની હિમાની હોટલના માલિક યોગેશ્વરપ્રસાદ શાસ્ત્રીએ આ અંગે ઘણાં વર્ષો પહેલાં અભ્યાસપૂર્ણ લખેલો લેખ અમને વંચાવ્યો હતો.
તેમાં એમણે અનેક પુરાણો તથા વર્તમાન સમયના ઇતિહાસનો અભ્યાસ કરીને જણાવ્યું છે કે –
આ મૂર્તિને ચીવર હોવાથી બૌદ્ધો બુદ્ધની મૂર્તિ માને છે, ખભા પાસે વાળની લટ હોવાથી જૈનો ઋષભદેવ કહે છે,
વિવિધ પુરાણો તથા બીજાં ચિહ્નોને આધારે સનાતનીઓ ભગવાન વિષ્ણુની જ મૂર્તિ માને છે. અને સતયુગથી આ મૂર્તિ પૂજાઈ રહી છે.
વચમાં કેટલોક સમય આ મૂર્તિને બૌદ્ધોએ ખંડિત કરીને નીચે નારદકુંડમાં નાખી દીધી હતી. આદિ શંકરાચાર્યને અંદરથી સંભળાયું કે “આ મૂર્તિને કાઢ અને ખંડિત હોવા છતાં પણ પ્રતિષ્ઠિત કર.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org