SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ હિમાલયની પદ યાત્રા-૨૪ નારદકુંડમાં આ મૂર્તિ ફેંકી દીધેલી હતી. શંકરાચાર્યે તેમાંથી કાઢીને મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. અને આ મૂર્તિપૂજાનો અધિકાર તેમણે જ ઉત્તર-દક્ષિણ ભારતની એકતા સ્થાપિત કરવા દક્ષિણના કેરલના વતની તેમના સંબંધી નાંબુદ્રીપાદ બ્રાહ્મણોને આપેલો છે. એટલે આ પૂજાનો અધિકાર કેરલના નાંબુદ્રીપાદ બ્રાહ્મણોનો જ છે. આ પૂજારી બ્રહ્મચારી જ હોવા જોઈએ. પૂજારીની નિમણુંક આ પ્રદેશના ટિહરીના રાજા તથા પંડાઓ વગેરે મળીને કરે છે. આ પૂજારી રાવલ કહેવાય છે. એમને પણ મળીને ઘણા સમય સુધી વાતો અમે કરી હતી. મહાપૂજા થઈ ગયા પછી ભક્તોને મંદિરમાં રહેલા પ્રતિમાજીઓનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. (લાઉડ સ્પીકરથી). - ભગવાન વિષ્ણુ પદ્માસનમાં વિરાજમાન છે. તેમનાં ભિન્ન ભિન્ન અંગોમાં શું શું છે તે જણાવાય છે. મધ્યમાં કૌસ્તુભ છે તેનું વર્ણન કરવામાં આવે છે. બે કાન પાસે-ખભા પાસે વાળની લટ છે એ તેમની જટાના વિખરાયેલા વાળ છે એમ વર્ણવવામાં આવે છે. પ્રતિમાજીને ખરેખર બે જ ભુજા છે. ભગવાન વિષ્ણુની આવી મૂર્તિ જગતમાં આ એક જ છે. ८६ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy