SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યતીર્થિક કથાનક પરિવ્રાજક શિષ્ય બન્યો. મરીચિએ આ દુર્વચન વડે એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ સંસારનું ભ્રમણ વધાર્યું. (આવા પરિવ્રાજકપણાની પ્રવૃત્તિ અને પ્રરૂપણાથી ભગવંત મહાવીર મરીચિવાળા આ ત્રીજા ભવથી પંદરમાં ભવ સુધી જેટલા ભવોમાં મનુષ્ય થયા તે પ્રત્યેક ભવે ત્રિદંડી, બ્રાહ્મણ, પરિવ્રાજક જ થયા પણ શ્રમણપણું પામ્યા નહીં.) ૭ આગમ સંદર્ભ આયા.ચૂ૫ ૩૭૪; આવ.ભ. ૩૬, ૩૭; આવ.નિ. ૩૪૩, ૪૨૨ની વૃ; આવ.નિ. ૧૪૮, ૧૪૯, ૩૧૩, ૩૪૪, ૪૨૩, ૪૨૪, ૪૩૩, ૪૩૮; આવ...૧-૫ ૧૨૫, ૧૮૨, ૨૧૧, ૨૨૧, ૨૨૮, ૪૮૫; કલ્પ મહાવીર પૂર્વભવ—વૃત્તિ; ૯૭ X ૦ કાલોદાયી આદિ અન્યતીર્થિકોની કથા ઃ (૧) કાલોદાયી, (૨) સેલોદાયી, (૩) સેવાલોદાયી, (૪) ઉદય, (૫) નામોદય, (૬) નમ્મેય, (૭) અન્નપાલક, (૮) શૈલપાલક, (૯) શંખપાલક, (૧૦) સુહસ્તિ. (આ દશ અન્યતીર્થિકોમાં કાલોદાયી તો અન્યતીર્થિકપણું છોડીને દીક્ષા ગ્રહણ કરી શ્રમણ થયાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. કથા જુઓ કાલોદાયી શ્રમણ. બાકીના નવ અતીર્થિકો ભગવંત અનુયાયી બન્યાનું કહેવાય છે, પણ તેના શ્રમણપણાનો ઉલ્લેખ મળેલ નથી.) તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. ત્યાં ગુણશીલ નામે ચૈત્ય હતું. તે ગુણશીલ ચૈત્યની સમીપે અનેક અન્યતીર્થિકો રહેતા હતા. તે આ પ્રમાણે કાલોદાયી, શૈલોદાયી, શૈવાલોદાયી, ઉદય, નામોદય, નર્મોદય, અન્નપાલક, શૈલપાલક, શંખપાલક, સુહસ્તિ ગાથાપતિ. X - X - X - - કોઈ સમયે આ બધાં અન્યતીર્થિકો એક સ્થાને આવ્યા, એકત્રિત થયા, સુખપૂર્વક સારી રીતે બેઠા. પછી તેઓમાં પરસ્પર વાર્તાલાપ આરંભ થયો - એવું સાંભળેલ છે કે શ્રમણ જ્ઞાતપુત્ર (મહાવીર) પાંચ અસ્તિકાયોનું નિરૂપણ કરે છે × — – તેમાં માત્ર એક પુદ્ગલાસ્તિકાયને જ શ્રમણ જ્ઞાતપુત્ર રૂપીકાય અજીવકાય કહે છે. તેમની આ વાત કઈ રીતે માની શકાય ? - * - * તે નગરમાં - X X - x - - મદ્રુક નામે શ્રમણોપાસક હતો. ભગવંત મહાવીર પધાર્યા. - × * = x મદ્રુક શ્રમણોપાસક ઘેરથી નીકળ્યો. ચાલતા—ચાલતા તે અન્યતીર્થિકો પાસેથી થઈને જઈ રહ્યો હતો. ત્યારે તે અન્યતીર્થિકોએ મદ્રુક શ્રમણોપાસકને પોતાની નીકટથી જતો જોયો. તેને જોઈને પરસ્પર તે અન્યતીર્થિકોએ એકબીજાને કહ્યું કે— — X - X આપણે માટે હે દેવાનુપ્રિયો ! મક્કુક શ્રમણોપાસક જઈ રહ્યો છે શ્રેયસ્કર છે કે આપણે આ પ્રશ્ન મદ્રુકને પૂછીએ – યાવત્ મદ્રુક શ્રમણોપાસક તેઓને નિરુત્તર કરીને ચાલતો થયો. (આ કથા મધુક શ્રાવકની કથામાં આવી ગયેલ છે ત્યાં જોવી) અસ્તિકાય સંબંધી આજ પ્રશ્ન કોઈ દિવસ કાલોદાયી આદિ અન્ય તીર્થિકોએ ગૌતમસ્વામીને પણ પૂછ્યો − x - x - ૪ - ગૌતમસ્વામીએ તેમને પ્રત્યુત્તર આપી ૬/૭
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy