SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણી કથાનક ૦ આગમ સંદર્ભઃમરણ. ૫૧૨ થી પર, ૦ બકરાની કથા : એક ધિગુજાતિય અર્થાતુ બ્રાહ્મણ હતો. તેણે તળાવ ખોદાવ્યું. તેજ પાણી વડે દેશમાં દેવકુળ અને બગીચો બનાવ્યો. ત્યાં તેણે યજ્ઞ કરાવ્યો. તે યજ્ઞમાં બકરાનો વધ કરાતો હતો. કોઈ વખતે તે બ્રાહ્મણ મરીને ત્યાં બકરારૂપે જન્મ્યો. તેના પોતાના જ પુત્રોએ આ બકરાને ગ્રહણ કર્યો. તે બ્રાહ્મણે ખોદાવેલ તળાવે યજ્ઞમાં હોમવા માટે તેને લઈ જવાનો હતો. ત્યારે તે બકરાને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના સ્વજનો દ્વારા જ હોમ માટે લઈ જવાતો જાણ્યો. ત્યારે તેને વિચાર આવ્યો કે મારા દ્વારા પ્રવર્તાવાએલ યજ્ઞમાં જ મારો હોમ થવાનો છે. કોઈ અતિશય જ્ઞાની સાધુ ત્યાંથી નીકળ્યા. તે બોલ્યા કે, જાતે જ વૃક્ષો વાવ્યું. પોતે જ તળાવ ખોયું. દેવ પાસેથી ફળ પણ તેજ માંગ્યું. હવે શા માટે બેં-બેં કરી રહ્યો છે. ત્યારે બકરો તે સાંભળીને મૌન થઈ ઊભો રહ્યો. ત્યારે બ્રાહ્મણ વિચારમાં પડ્યો, સાધુ એવું શું બોલ્યા કે, આ બકરો બેં–બેં કરતો બંધ થઈ ગયો. ત્યારે સાધુએ કહ્યું કે, આ તારો જ પિતા છે. જે મરીને બકરો થયો છે. ત્યારપછી બકરાએ પૂર્વભવમાં બ્રાહ્મણ હતો ત્યારે પુત્રની સાથે જ્યાં નિધાન દાટેલું હતું ત્યાં જઈને પગ પછાડ્યો. પુત્રને ખાતરી થતા બકરાને છોડી દીધો. બકરાએ ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. મરીને દેવલોકે ગયો. (આ કથા અષાઢાચાર્ય શ્રમણ કથામાં આવી છે.) ૦ આગમ સંદર્ભ :નિસી.ભા. ૧૨ની ચૂ દસ યૂ. ૯૬; ઉત્ત.નિ ૧૨૩ની વૃ; – ૪ – ૪ – મુનિ દીપરત્નસાગર દ્વારા સંકલિત અને અનુવાદિત પ્રાણી કથાઓ સમાપ્ત – – ૪ – (અમારું કાર્યક્ષેત્ર આગમો હોવાથી અમે આગમ આધારિત પ્રાણી કથાઓ અત્રે નોંધી છે. પણ તે સિવાયના કથાગ્રંથોમાં પણ બીજી પ્રાણી કથા જોવા મળે છે. જેમકે – ભગવંત ધર્મનાથના શાસનમાં આવતી ઉદરની કથા. આ કથા ખૂબ જ પ્રદ, રોમાંચક અને બોધદાયક છે. ઉદરના મનોભાવો અને વ્યવહારોનું જે વર્ણન છે તે શ્રાવક કે સાધુને પણ દૃષ્ટાંતરૂપ છે. એ જ રીતે કુવલયમાલામાં આવતી સિંહની કથા કે જેમાં સિંહ બોધ પામ્યો, અનશન કર્યું. સિદ્ધોનું સ્મરણ કર્યુંસંસારની અસારતા ભાવવા લાગ્યો – છેલ્લે નમસ્કાર મંત્ર સ્મરણ કરી મૃત્યુ પામી સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો. આવી–આવી પ્રાણી કથા બીજે પણ મળે છે. જે ખરેખર મનનીય છે. – ૮ – ૮ –
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy