SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ આગમ કથાનુયોગ–૨ નાયા. ૧૪૭, – ૪ – ૪ – ૦ કંબલ અને સંબલ બળદની કથા : (આ કથા ભગવંત મહાવીરની કથામાં તેમની છઘસ્થાવસ્થાના વિચરણ દરમ્યાન તથા જિનદાસ શ્રાવકની કથામાં સાધુદાસી શ્રાવિકાની કથામાં આવી જ ગયેલ છે.) મથુરા નગરીમાં જિનદાસ શ્રાવક અને સાધુદાસી શ્રાવિકા રહેતા હતા – ૪ – ૪ – તેઓ પરમ શ્રાવક હતા, પાંચમાં પરિગ્રહ પરિમાણ વ્રત અંગર્તતુ ચતુષ્પદ સંબંધી પચ્ચકખાણ કરેલા હતા. તેથી પોતાને ત્યાં ગાય, બળદ આદિ કોઈ પશુ રાખતા ન હતા – ૮ – ૮ – ૪ – કોઈ વખતે આભીરણે તેઓને બે હૃષ્ટપુષ્ટ અને મનોહર વાછરડાં તે શ્રાવકયુગલની ઇચ્છા ન હોવા છતાં ભેટ આપ્યા. જેનું નામ કંબલ અને શંબલ હતું. શ્રાવક યુગલે વિચાર્યું કે, આ બળદને છોડી મૂકીશ તો લોકો તેમને ગાડા કે હળમાં જોડીને દુઃખી કરશે. તેથી ઘેર રાખી બંને બળદોને તેઓ પ્રાસુક ઘાસ અને પાણી વડે પોષણ કરવા લાગ્યા. શ્રાવકદંપતિની ધર્મક્રિયા જોઈને અને પુસ્તક વાંચન શ્રવણ દ્વારા ભદ્રિક પરિણામી બન્યા. શ્રાવકની સાથે તે પણ ઉપવાસ કરવા લાગ્યા – ૪ – ૪ – ૪ કોઈ વખતે શ્રાવકના મિત્રે આ હૃષ્ટપુષ્ટ બળદને જોયા. શ્રાવકને પૂછયા વિના ઉત્સવમાં દોડાવવા લઈ ગયા – ૪ – ૪ – તે બળદોના સાંધા તૂટી ગયા – ૪ – ૪ - શ્રાવકે બળદને ભક્ત પચ્ચકખાણ કરાવ્યું, નવકારમંત્ર સંભળાવ્યો. બંને બળદો મૃત્યુ પામીને નાગકુમાર દેવપણે ઉત્પન્ન થયા – ૮ – ૮ – ૮ – ભગવંત મહાવીરને જ્યારે સુદષ્ટ્ર દેવે ઉપસર્ગ કર્યો ત્યારે સુરતના ઉત્પન્ન થયેલા આ મહર્બિક એવા કંબલ અને શંબલદેવે ભગવંતને ઉપસર્ગ મુક્ત કરાવ્યા – ૪ – ૪ – (આ કથા વિસ્તારથી જોવા માટે જુઓ ભગવંત મહાવીર કથા) ૦ આગમ સંદર્ભ :બુ.ભા. પ૬ર૭, ૨૬૨૮ + વૃ આવ.નિ ૪૭૦ થી ૪૭ર + આવ..૧–પૃ. ૨૮૦; આવપૂ. ર૭૪, ૨૭૫; કલ્પસૂત્રભામહાવીર ચરિત્ર ઉપસર્ગોના વર્ણનની–વૃત્તિ, ૦ ચંડકૌશિકની કથા : (આ કથા પુરા વિસ્તારથી પૂર્વભવના તથા ભાવિ દેવભવના ઉલ્લેખ સાથે ભગવંત મહાવીરની કથામાં ભગવંતની છઘસ્યાવસ્થામાં પહેલા ચાતુર્માસ પછી કરેલા વિહારમાં ખોરાક સંનિવેશથી કરેલા વિહારના શિર્ષક હેઠળ આવી ગયેલ છે. કથા જુઓ ભગવંત મહાવીર) ભગવંત મહાવીર દક્ષિણ વાચાલથી ઉત્તરવાયાલ પ્રતિ વિહાર કરી જઈ રહ્યા હતા. તેઓ કનકપલ આશ્રમના માર્ગે આગળ વધ્યા. તે માર્ગે ચંડકૌશિક નામનો દૃષ્ટિવિષ સર્પ રહેતો હતો. ભગવંત જાણતા હતા કે આ ભવિજીવ છે, માટે નક્કી પ્રતિબોધ પામવાનો છે. તેથી ચંડકૌશિક પ્રત્યેની કરૂણાથી ભગવંત ત્યાં ચાલ્યા. પૂર્વભવે આ ચંડકૌશિક એક ઉગ્ર તપસ્વી – “સમક' નામના સાધુ હતા – ૪ –
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy