SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણી કથાનક ૦ સેચનકનું મૃત્યુ અને ગતિ :— જ્યારે બાર વર્ષ સુધી કોણિક વૈશાલીને ઘેરીને રહ્યો પણ નગર પ્રવેશ કરી શક્યો ન હતો ત્યારે હા–વિહા રોજ સેચનક હાથી પર નીકળતા અને કોણિક રાજાના સૈન્યના ઘણાં સૈનિકોને રોજેરોજ મારીને ચાલ્યા જતા – X - X X - કોણિકે બહાર ખાઈ ખોદાવી તેમાં અંગારા ભરી દીધા. જેથી હાથી કાં તો આવી ન શકે અથવા તેમાં પડીને મૃત્યુ પામે. સેચનક હાથીએ અવધિજ્ઞાન વડે આ વાત જાણી. તેથી હ્લ—વિઠ્ઠલને લઈને તે આગળ વધતો ન હતો. ત્યારે તે કુમારોએ તેને અંકુશ મારીને કહ્યું કે, તારા નિમિત્તે આ બધી આપત્તિ આવી છે, તો પણ તું આગળ કેમ નથી ચાલતો ? તો પણ સેચનક આગળ જતો નથી. જ્યારે કુમારોએ તે હાથીને ફરજ પાડી ત્યારે સેચનકે તે બંને કુમારોને નીચે ઉતારી દીધા. પોતે ખાઈમાં જઈને પડ્યો. મૃત્યુ પામ્યો અને રત્નપ્રભા નારકીમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થયો. ૦ આગમ સંદર્ભ : ભગ. ૬૫૨; આવ.નિ. ૧૨૮૪ની ; ઉત્ત ૧૬ની વૃ; - x નાયા. ૧૮, ૨૨; આવ યૂ.૧-પૃ. ૪૬૮; ૨-પૃ ૧૭૦, ૧૭૧; ઉ.ચૂ.પૃ. ૩૪; નિર. ૧૭, ૧૮; × ૦ વાંદરાની કથા ઃ દ્વારાવતી નગરીમાં કૃષ્ણ વાસુદેવ હતા. ત્યાં બે વૈદ્ય હતા. ધન્વંતરી અને વેતરણી ધન્વંતરી અભવિ હતો. વેતરણી ભવિ હતો. તેમાં વેતરણી વૈદ્ય સાધુને ગ્લાન હોય ત્યારે ચિકિત્સા કરતો, જેને જે ઔષધાદિ જોઈએ તે આપતો. જ્યારે ધન્વંતરી વૈદ્ય સાવદ્ય અને અસાધુપ્રાયોગ્ય બધું આપતો. જ્યારે તેને કોઈ પૂછતું કે તું આમ કેમ કરે છે ? ત્યારે તે કહેતો કે, મેં કંઈ શ્રમણોને માટે વૈદ્યક શાસ્ત્રનો અભ્યાસ નથી કર્યો. તે બંને વૈદ્યો મહારંભી અને મહાપરિગ્રહી હતા. દ્વારાવતીમાં બધાની ચિકિત્સા કરતા હતા. કોઈ વખતે કૃષ્ણ વાસુદેવે ભગવંત અરિષ્ટનેમિને પૂછ્યું કે, આ બંને ઘણી જ વધ આદિ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત છે તો મૃત્યુ પામીને ક્યાં જશે ? ત્યારે ભગવંતે કહ્યું કે, આ ધન્વંતરી વૈદ્ય મરીને અપ્રતિષ્ઠાન નરકે જશે અને આ વેતરણી વૈદ્ય ગંગાનદીના કિનારે વિદ્યપર્વતની ગિરિમાળામાં વાંદરારૂપે ઉત્પન્ન થશે. તે વાનર મોટો થઈને વાનરજૂથનો અધિપતિ થશે. કોઈ વખતે સાર્થની સાથે આવતા સાધુઓને તે વાનર જોશે તે વખતે કોઈ એક સાધુના પગમાં કાંટો વાગીને ખૂંચી જશે. ત્યારે તે સાધુ બાકીના સાધુઓને કહેશે કે, મારી સેવા કરવા રોકાશો તો બધાં મરશો વ્યથિત થશો. માટે તમે વિહાર કરો હું ભક્ત પ્રત્યાખ્યાન કરીશ. તે વખતે તે વાનરજૂથપતિ તે પ્રદેશે આવીને સાધુને નિરખતા – યાવત્ – પોતાનો પૂર્વભવ સ્મરણ કરશે. ત્યારે શુભ પરિણામના યોગે વાનરને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થશે. ત્યારે દ્વારાવતીમાં તે વૈદ્ય હતો, સાધુની સેવા કરતો હતો આદિ બધું જ તેને યાદ આવશે. ત્યારપછી તે વાનર સાધુને વંદન કરશે. ત્યારે સાધુના પગમાં લાગેલ કાંટાને
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy