SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ આગમ કથાનુયોગ-૬ ખંડ–૭ પ્રાણી કથાનક આગમ સૂત્રોમાં આવતા કથાનકોમાં વિવિધ પ્રાણીઓની કથા પણ જોવા મળે છે. આ કથામાં બે પ્રકારે અમે કથા વિષયવસ્તુને વિચારેલ છે– (૧) એવી પ્રાણી કથા જેમાં તે-તે પ્રાણીઓએ ગૂડીધર્મ (શ્રાવકધર્મ સ્વીકારેલ હોય અથવા સમ્યક્ આરાધનાથી સદ્ગતિ પામ્યા હોય – જેમકે દુર દેવ આદિ. (૨) એવી પ્રાણી કથા જેમાં ફક્ત તે પ્રાણીની કથા હોય તેનું કથા સ્વરૂપે તો જરૂર મહત્ત્વ હોય, પરંતુ તે ધર્મ આદિ ન પામ્યા હોય અથવા દુર્ગતિમાં ગયા હોય જેમકે – સેચનક હાથી .બીજા પ્રકારની કથા તો માત્ર કથારૂપે મહત્ત્વની છે. પણ પહેલા પ્રકારની કથાનું પ્રેરણાદાયી મહત્ત્વ છે. કેમકે તિર્યંચ યોનિ પામ્યા છતાં, તિર્યંચગતિમાં ગૂડીધર્મની આરાધનાથી કે સમ્યક ધર્મ પરિપાલનાથી આવા પ્રાણીઓ તેમની ઉત્કૃષ્ટ ગતિ એવા સહસાર નામના આઠમાં કલ્પપર્યત પણ ઉત્પન્ન થયાના દષ્ટાંતો પણ આવતા હોય છે. - આ કારણથી અમે પ્રાણી–કથાનકોનો અલગ વિભાગ કરેલ છે. ૦ ઉદાયી હાથીની કથા : તે સમયે મહાશિલાકંટક સંગ્રામ ઉપસ્થિત થયો જાણીને કૂણિક રાજાએ પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. તેઓને કહ્યું કે, હે દેવાનુપ્રિય જલ્દીથી “ઉદાયી” નામક હસ્તિરાજને તૈયાર કરો – ૪ – ૪ – ૪ – તેઓએ ભીમ સંગ્રામને યોગ્ય ઉદાર “ઉદાયી” નામના હસ્તિરાજને સુસજ્જિત કર્યા. – ૪ – ૪ – કોણિક રાજા ઉદાયી હસ્તિ પર આરૂઢ થયો – યાવત્ – કૂણિક રાજા કેવળ એક હાથીથી પણ પરાજિત કરવા સમર્થ થઈ ગયો. રાજગૃહનગરમાં – યાવત્ – પૂછયું કે, હે ભગવન્! ઉદાયી નામક પ્રધાનહસ્તિરાજ કઈ ગતિથી મરીને અહીં હસ્તિરાજ રૂપે ઉત્પન્ન થયો ? હે ગૌતમ તે અસુરકુમાર દેવોમાંથી મૃત્યુ પામીને સીધો જ અહીં ઉદાયી નામના હસ્તિરાજરૂપે ઉત્પન્ન થયો છે. હે ભગવન્! ઉદાયી હસ્તિરાજ અહીંથી કાળના અવસરે મૃત્યુ પામીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ ! તે રત્નપ્રભા પૃથ્વીના એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થશે. હે ભગવન્! ત્યાંથી અનન્તર નીકળીને તે ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે – યાવત્ – તે સર્વ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :ભગમૂ. ૩૭૨, ૬૯૫ + ૦ ભૂતાનંદ હાથીની કથા : તે સમયે રથમૂસલ સંગ્રામ ઉપસ્થિત થયો જાણીને કૂણિક રાજાએ પોતાના
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy