SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ-દેવી કથા ૭૧ ૦ પ્રભાસદેવ કથા : પ્રભાસ તીર્થનો અધિપતિ દેવ છે, તેના સંબંધનો કથા પ્રસંગ ચક્રવર્તી ભરતની દિગ્વીજય યાત્રા – છ ખંડ સાધનામાં આવે છે. ત્યાંથી જોવો. ૦ આગમ સંદર્ભ :જંબૂ ૭૩; આવ રૃ.૧–પૃ. ૧૮૯; –– » –– » –– ૦ કૃતમાલ દેવ કથા : તિમિસ્ત્ર ગુફાનો અધિપતિ દેવ છે. તેના સંબંધના બે કથા પ્રસંગો જોવા મળેલ છે. (૧) ચક્રવર્તી ભરતની દિગ્વીજય યાત્રામાં છે, ત્યાં જોવો અને (૨) રાજા કોણિકને તેણે મારી નાંખ્યો તે જુઓ કોણિક કથા. ૦ આગમ સંદર્ભ :ઠા. ૩૬૦ની , જંબૂ. ૧૮, ૭૫, આવનિ. ૧૨૮૪ની ક આવ..ર–પૃ. ૧૭૬, ૧૭૭; દસ.યૂ. ૫૧; — — — — — ૦ મેઘમુખ નાગકુમાર દેવ કથા : નાગકુમાર દેવોનો એક રાજા, જેને મેઘમુખ કહે છે. આ મેઘમુખ નાગકુમાર દેવ આપાત-કિરાત લોકોના કુળ દેવતા છે. ભરત ચક્રવર્તી સાથેના યુદ્ધમાં સુષેણ સેનાપતિ સૈન્ય લઈને આવ્યો ત્યારે આ દેવોએ આપાત કિરાતોને યુદ્ધમાં ઘણી સહાય કરી હતી. - કથા જુઓ ભરત ચક્રવર્તી – દિગ્વીજય યાત્રામાં આ કથા છે. ૦ આગમ સંદર્ભ :જંબૂ ૮૪ થી ૯૧; આવપૂ.૧–પૃ. ૧૯૬; ૦ શૂલપાણી યક્ષની કથા : શૂલપાણી એક વાણવ્યંતર દેવ હતો. તે વર્ધમાનપુરના એક જીર્ણમંદિરમાં રહેલો હતો. પૂર્વભવે તે એક બળદ હતો. તેણે ધનદેવના ઘણાં ગાડાનો ભાર ખેંચ્યો. તેનાથી તેના અસ્થિભંગ થઈ જવાથી, લોકોએ ધ્યાન ન આપવાથી મૃત્યુ પામીને શૂલપાણી યક્ષ થયો. ત્યારપછી તે શૂલપાણીયક્ષે વર્ધમાનપુરમાં લોકોને ખૂબ જ ઉપદ્રવ કર્યો. તેમજ ભગવંત મહાવીરને પણ ઉપસર્ગ કર્યો. ઇત્યાદિ કથાનક ભગવંત મહાવીરની કથામાં આવી ગયેલ છે. ૦ આગમ સંદર્ભ :ઠા. ૯૬૧ + ; સમ. ૧૫ની જ આવ.નિ. ૪૬૧ની વ આવ.૧–પૃ. ૨૭૨ થી ૨૭૪; આવા મવપૂ. ર૬૦, ૨૧; કલ્પસૂત્ર-મહાવીર ચરિત્ર-ઉપસર્ગ વર્ણન-વૃત્તિ ૦ બલયણની કથા : બલ નામે એક યક્ષ હતો. જે પૂર્વભવે સર્પ હતો. ત્યારે તે મહાવિષયુક્ત અને ઘોર
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy