SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ આગમ કથાનુયોગ-૬ અત્યંત સુખી સુધર્મા સભામાં શક્ર નામના ઇન્દ્રાસન પર બેઠો હતો. તે શક્ર બત્રીસ લાખ વિમાનો, ૮૪,૦૦૦ સામાનિક દેવો, તેત્રીશ ગુરુસ્થાનીય ત્રાયશ્ચિંશક દેવો, ચાર લોકપાલો, પરિવારસહિત આઠ અગ્રમહિષીઓ, ત્રણ પર્ષદા, સાત અનીકો, સાત અનીકાધિપતિઓ, ૩,૩૬,૦૦૦ અંગરક્ષક દેવો, તથા સૌધર્મકલ્પવાસી અન્ય અનેક દેવો તથા દેવીઓનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામીત્વ, ભતૃત્વ, મહત્તરકત્વ, અગ્રેસરત્વ, આજ્ઞાઐશ્વર્યત્વ સૈનાપત્ય કરતો આ બધાનું પાલન કરતો, નૃત્ય, ગીત, કળા, કૌશલ્ય સાથે વગાડાઈ રહેલા તલ, તાલ, ત્રુટિત, વીણા, ઝાંઝ, ઢોલ, મૃદંગના મેઘ સમાન ગંભીર તથા મધુર ધ્વનિ સાથે દિવ્ય ભોગોને ભોગવતો વિચરી રહ્યો હતો. તેની આઠ અગમહિષી આ પ્રમાણે હતી – પદ્મા, શિવા, શચી, અંજૂ, અમલા, અપ્સરા, નવમિકા અને રોહિણી. આ પ્રત્યેક દેવીનો સોળ-સોળ હજાર દેવીઓનો પરિવાર હતો. આઠ દેવીઓ બીજી સોળ-સોળ હજાર દેવીઓ વિફર્વવા સમર્થ છે. તેના ચાર લોકપાલો – સોમ, યમ, વરુણ અને કુબેર હતા. તેની ત્રણ પર્ષદા હતી – બાહ્ય, મધ્યમ અને અત્યંતર, જેના નામો સમિતા, ચંડા અને જાયા પણ છે. તેની સાત સેનાઓ હતી. તે આ પ્રમાણે – હાથી, ઘોડા, રથ, સુભટ, વૃષભ, નાટકીયા અને ગંધર્વ. પ્રત્યેક સેનાનો એક–એક સેનાધિપતિ હતો. તેના ૩,૩૬,૦૦૦ આત્મરક્ષક દેવો હતા – તે આ પ્રમાણે – ઉત્તરમાં ૮૪,૦૦૦, દક્ષિણમાં ૮૪,૦૦૦, પૂર્વમાં ૮૪,૦૦૦ અને પશ્ચિમમાં ૮૪,૦૦૦. શક્રની પાદુકા વૈર્યરત્ન, ઉત્તમ જાતનું રિઝરત્ન, અંજનરત્ન વડે ચતુર કારીગરે બનાવેલી હોય તેવી, દેદીપ્યમાન, ચંદ્રકાંતાદિ મણિ અને કર્કેતન રત્નોથી જડેલી હતી. તેનો નિવાસ અંદરપર્વતના અગ્નિખૂણામાં ઉત્તમ ગુલ્માદિ ચાર પુષ્કરિણીઓના મધ્યમાં રહેલા ઉત્તમ પ્રાસાદમાં પણ સપરિવાર હોય છે. તેમજ મેરુ પર્વતના સૌમનસવનથી આગળ શક્રેન્દ્રનો ઉત્તમ પ્રાસાદ છે. વળી મેરુ પર્વતની ચૂલિકાની પૂર્વમાં પાંડુકવનમાં ૫૦ યોજના ગયા પછી આવતા એક વિશાળ ભવનનો તે અધિષ્ઠાયક દેવ છે. તેના વિમાનનું નિર્માણ આદિ કાર્યપાલક નામનો આભિયોગિક દેવ કરે છે. હરિસેગમેષી દેવ તેની પદાતિસેનાનો અધિકારી છે, જે શકના દૂત તરીકે પણ કાર્યકરે છે. જેમકે – દેવાનંદા અને ત્રિશલાના ગર્ભનું સંક્રમણ તેણે કરેલું હતું. શક્રના વિમાનનું નામ પાલક અને તેની સભામાં રહેલી ઘંટાનું નામ સુઘોષા છે. વિમાન એક લાખ યોજન વિસ્તીર્ણ છે. તેનો મહેન્દ્રધ્વજ ૧૦૦૦ યોજન વિસ્તીર્ણ છે. તે દેવેન્દ્ર દેવરાજ શક્ર અનેક દેવ અને દેવીઓની વિફર્વણા કરીને પરિપૂર્ણ જંબુદ્વીપને આકીર્ણ, વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ, સંસ્તીર્ણ, સ્પષ્ટ અને ગાઢાવગાઢ કરવામાં સમર્થ છે. અલબત્ત આ તેની વિફર્વણા શક્તિ માત્ર છે, શક્રેન્ડે આ વિફર્વણા કદી કરી નથી, કદી કરતો નથી અને કદાપી કરશે પણ નહીં. એ જ પ્રમાણે શક્રેન્દ્ર કાલવર્ષે મેઘ વૃષ્ટિકય વરસાવી શકે છે. જે ભગવંતના જન્મ આદિ કલ્યાણકે વરસાવે છે. આ શક્રેન્દ્ર સમ્યગ્વાદી હોય છે, તે સત્ય, મૃષા આદિ ચારે પ્રકારની ભાષાઓ
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy