SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ દાંત ઉપનય ૨૫૩ ત્યાંના કરોડા કુટુંબોને ત્યાં ભોજન માટેના વારો ગોઠવાયો. હવે તે બ્રાહ્મણ બધે જ ભોજન કરતો-કરતો જાય તો ફરીથી ચક્રવર્તીના ઘરનું ભોજન ક્યાંથી પામે ? સમગ્ર છ ખંડ ભરતક્ષેત્રના કરોડો ઘરોમાં જમતા જે રીતે ચક્રવર્તીના ઘેર ફરીથી ભોજનની પ્રાપ્તિ થવી દુર્લભ છે. એ જ રીતે એક વખત મનુષ્ય જન્મની પ્રાપ્તિ થઈ પણ જાય, તો પણ ફરીથી મનુષ્ય જન્મ પ્રાપ્ત થવો દુર્લભ છે. (૨) પાસગનું દષ્ટાંત : (આ વાત ચાણક્યની કથા અંતર્ગતું આવે છે) ચાણક્યએ દેવતાની કૃપાથી મેળવેલા પાસા વડે જુગાર રમવાનું શરૂ કર્યું. તેણે શરત કરેલી કે જો કોઈ તેને જુગારમાં જીતે, તો તે સોનામહોરો ભરેલો આખો થાળ આપે જ ચાણક્ય જીતી જાય તો હારેલા પુરુષે ફક્ત એક સોનામહોર આપવી. આ રીતે તે નિરંકુશપણે જુગટુ રમતો પણ કોઈ તેને હરાવી શકતું ન હતું. તે સર્વેને હરાવી દેતો હતો. આ રીતે જેમ કોઈ અતિ દક્ષ પુરુષ પણ તેને જીતી શકતો ન હતો, તેમ એક વખત મનુષ્યજન્મ હારી ગયો પછી તેને ફરીથી પ્રાપ્ત કરવો અતિ દુર્લભ છે. (૩) ધાન્યનું દષ્ટાંત : ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા તમામ ધાન્યો એકઠાં કરીને તેમાં એક પાલી સરસવ ભેળવી દેવા. પછી કોઈ વૃદ્ધ ડોસી તે વિશાળ ઢગલામાંથી એક એક સરસવ શોધે અને તેની ફરી પાલીમાં નાંખવાનું શરૂ કરે, તો તે કાર્ય કેટલું મુશ્કેલ બને ? કુતુહુલી દેવે ભરતક્ષેત્રના સર્વ ધાન્યો એકઠાં કરી દીધાં છે. તેમાં એક પ્રસ્થ (પાલી) પ્રમાણ સરસવ નાંખેલા છે. ડોશી વૃદ્ધ છે, દુર્બળ દેહધારી છે, દરિદ્રતાથી પીડાઈ રહી છે. રોગી પણ છે. સૂપડા વડે ઝાટકી–ઝાટકીને સરસવના દાણા છૂટા પાડી રહી છે. તો પણ કદાપી તેણી બધાં સરસવ છૂટા પાડી શકતી નથી. એ પ્રમાણે અનેક યોનિમાં પરિભ્રમણ કરનાર મોહ મલિન જીવને આ ભવમાંથી ભ્રષ્ટ થયા પછી ફરી મનુષ્યભવ મેળવવો અતિ દુર્લભ છે. (૪) ચુત (જુગટુ)નું દષ્ટાંત) : રાજા વૃદ્ધ હતો. તેને ૧૦૮ સ્તંભોવાળી આશ્ચર્યકારી સભા હતી. દરેક સ્તંભને ૧૦૮–૧૦૮ ખૂણાઓ હતા. એમ સર્વે મળી ૧૧,૬૬૪ ફૂલ ખૂણાઓ હતા. તેના પુત્ર (રાજકુમાર)ને થયું કે મારે કોઈપણ ભોગે આ રાજ્ય હાંસલ કરવું છે. રાજાને તે વાતની ખબર પડી ગઈ. ત્યારે કુંવરને બોલાવીને કહ્યું કે, તારે કુળ પરંપરાગત રીતે મારી સાથે જુગટુ રમવાનું. તેમાં તું જીતી જાય તો તુરંત જ રાજા બની શકે છે. તારે દરેક સ્તંભના દરેક ખૂણે મારી સાથે ૧૦૮ વખત જુગટુ રમવાનું. તે દરેક વખતે તારી જીત થવી જોઈએ. જો એક પણ વખત હાર થાય, તો ફરીથી રમવાનું. તે રીતે દરેક સ્તંભના દરેક ખૂણે અર્થાત્ ૧૧,૬૬૪ ખૂણે ૧૦૮–૧૦૮ વખત જુગટુ રમતા દરેકે દરેક વખત તું જીતી જાય તો આ રાજ્ય તારું. જેમ દીર્ધ કાળપણે આ રીતે ઘુતમાં જીતવું મુશ્કેલ છે. તે રીતે સંસારમાં ભ્રમણ કરતા જીવે મનુષ્યપણાની દુર્લભતા જાણવી.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy