SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ–૬ ક્રિયાદિરહિત સુકુમાર શરીરી બની ગયા. શ્રાવકોના કુળમાં મમત્વવાળા થઈ ત્રણ ગૌરવયુક્ત બન્યા. શ્રાવકો નિરંતર ભક્તિથી આહારાદિ આપવા લાગ્યા. ત્યાં ઘણો સમય રોકાયા. નવકલ્પ વિહારાદિનો ત્યાગ કર્યો. તેમનો પ્રમાદ વૃદ્ધિ પામવા લાગ્યો. આલોચના કર્યા વિના કાળધર્મ પામીને તે જ નગરની ખાઈની નજીકના યક્ષભવનમાં અત્યંત હલકી કોટિના કિલ્બિષિક જાતિના દેવ—યક્ષ થયા. ૨૪૪ વિભંગ જ્ઞાનથી પોતાનો પૂર્વભવ જાણીને તે દેવ ચિંતવવા લાગ્યા કે, પાપી એવા મેં પ્રમાદી થઈને જિનમતના રત્નનિધાનને મેળવીને પણ શ્રમણપણાને નિષ્ફળ બનાવ્યું. હવે ફરી મને મનુષ્યભવ આદિ સામગ્રી ક્યારે મળશે ? તે વખતે આહારની લાલસાથી રસ ગારવમાં ખૂંચ્યો, તો ચાંડાળ જાતિ સમાન એવા કિલ્બિષિક નામની હલકી જાતિમાં અસુરપણું પામ્યો. મેં શાસ્ત્રો જાણવા છતાં આત્મા માટે કંઈ ઉદ્યમ ન કર્યો. એમ વિચારતા રોજ તે પોતાના દુશ્ચરિત્રને નિંદવા લાગ્યા. શોકમાં દિવસો પસાર કરે છે. હવે તે જ સ્થંડિલ ભૂમિ જતા–આવતા પોતાના શિષ્યોને જોઈને તેમને પ્રતિબોધ કરવા માટે યક્ષપ્રતિમાના મુખમાંથી લાંબી જીભ બહાર કાઢીને રહેતા. ત્યારે તે જોઈને મુનિઓ દરરોજ કહેવા લાગ્યા કે, અહીં જે કોઈ દેવ, યક્ષ, કિન્નર હોય તે પ્રગટ થઈને કહો, અમે આ લાંબી જીભનું રહસ્ય સમજી શકતા નથી. ત્યારે ખેદ સહિત તે યક્ષે કહ્યું કે, હે તપસ્વીઓ ! હું તમારો ગુરુ આર્ય મંગુ છું. તે વખતે ક્રિયામાં પ્રમાદી બન્યો હતો. આહાર લાલસામાં મૃદ્ધ બન્યો હતો. તેનું આ અશુભ કર્મફળ ભોગવી રહ્યો છું. ત્યારે શિષ્યોએ પૂછ્યું કે, હે શ્રુતનિધિ ! તમે શિક્ષા આપવામાં અતિશય દક્ષ હતા. તો આ અધમ યક્ષયોનિમાં કેમ ઉત્પન્ન થયા ? ત્યારે યક્ષે કહ્યું કે, આહાર લાલસા, રસમૃદ્ધિ અને સદ્ધર્મમાં શિથિલ ભાવવાળા આવી હલકી યોનિને પામે તેમાં શું આશ્ચર્ય કે વિસ્મય હોય ? તમે મારી આ ગતિને જાણો, જો સારી ગતિ પામવી હોય તો દુર્લભ એવા સંયમમાં પ્રમાદનો ત્યાગ કરજો. મોક્ષમાર્ગ પ્રયત્નશીલ બનજો. એ રીતે તેમના શિષ્યો પ્રતિબોધ પામ્યા. ૦ આગમ સંદર્ભ :ગચ્છા ૯૯ની ; બૃહ.ભા. ૧૪૪ની રૃ. આવ.ચૂ૧-૫ ૫૮૨, ૨-૫ ૮૦; નિસીભા. ૩૨૦૦ + યૂ વવભા ૨૬૮૧ + X નિસી ભા. ૧૧૧૬ની ચૂ નંદી. ૩૧ + ➖➖➖ X મંડુક્કલિત :- (પારિણામિકી બુદ્ધિનું દૃષ્ટાંત) (આ દૃષ્ટાંત નાગદત્તની કથામાં આવી ગયેલ છે. દૃષ્ટાંતસાર–) કોઈ સાધુ, શૈક્ષ સાધુ સાથે ભિક્ષા લેવા ગયા. માર્ગમાં તેનાથી દેડકી મરી ગઈ, આલોચના ન કરી, બાળસાધુએ યાદ કરાવતા મારવા દોડ્યા. થાંભલામાં ભટકાઈ મૃત્યુ પામ્યા. દૃષ્ટિવિષ સર્પ થયા, પ્રાસુક આહારથી જીવવા લાગ્યા. ગારુડીએ મારી નાંખ્યા, મરીને રાજપુત્ર નાગદત્ત થયા. દીક્ષા લીધી. ઘણી જ ભૂખ લાગતી હતી. રોષ ન કરવાનો
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy