SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ દાંત ઉપનય ૨૪૧ ૦ નંદિની:- (ભોગથી રોગોત્પત્તિનું દષ્ટાંત) નંદિની નામે એક ગણિકા હતી. તે સ્ત્રીઓના ૬૪ ગુણોથી યુક્ત હતી. સહસ્ત્રલક્ષ શૃંગારના આગાર સમ સુંદર વેશયુક્ત, સંગત હસિત, છત્ર, ચામર, વીંઝણકથી યુક્ત હતી. રાજકુળમાં જતી–આવતી. તે અતિ કામભોગમાં આસક્ત રહેતી હતી. તેમ કરતા તેના દેહમાં ઘણો રોગાતંક ઉત્પન્ન થયા. તે નક્કામી થઈ જતા, અન્ય યૌવનવંતી ગણિકાને સ્થાપીને રહેવા લાગી. તે પણ રાજકુળમાં સ્વચ્છંદ મતિ વિચરવા લાગી. તેણી પણ, પછીથી રોગિણી થઈ ગઈ – ઇત્યાદિ – તેથી ભોગનો સંગ કરવો ન જોઈએ. ૦ આગમ સંદર્ભ :આયા.ધૂ. ૭૧; ૦ ચેટીનું ઉદાહરણ :- (સંસાર દંડનું દષ્ટાંત) વસંતપુરમાં જીર્ણ શ્રેષ્ઠી અને નવગ શ્રેષ્ઠીની પુત્રીને પરસ્પર પ્રીતિ થઈ. કોઈ વખતે નવકની પુત્રી અલંકાર સજ્જ થઈ નીકળી. કિનારે અલંકાર રાખી નદીમાં ઉતરી, જીર્ણ શ્રેષ્ઠીની પુત્રી તેને લેવા માટે દોડી. એક ચેટીએ તેણીને રોકી, બીજીએ આક્રોશ કર્યો. ત્યારે માતાપિતાએ તેણીને કહ્યું કે, મૌન રહે. નવકની પુત્રી નાહીને પોતાના ઘેર ગઈ. પછી ઘરેણા માંગ્યા. જીર્ણ શ્રેષ્ઠીની પુત્રીએ ન આપ્યા. મામલો રાજકુળે ગયો. પણ કોઈ સાક્ષી હતા નહીં. પછી તેણીના વ્યવહાર અવસરે આભરણ પહેરવા કર્યું. ત્યારે જીર્ણશ્રેષ્ઠીની ચેટી કયું ઘરેણું ક્યાં પહેરવું તે ખબર પડતી ન હતી. ત્યારે ખબર પડી કે આ આભરણ આના લાગતા નથી. પછી બીજી ચેટીને પહેરવા કહ્યું. તે ચેટીએ ક્રમસર પહેર્યા. તેના પરથી આભરણ કોના છે તે ખ્યાલ આવી ગયો. ત્યારે જીર્ણ શ્રેષ્ઠીએ તેણીનો દંડ કર્યો. એ જ રીતે ઉત્સર્ગને સ્થાને અપવાદની સ્થાપના કરવાથી સંસારરૂપી દંડે દંડાય. ૦ આગમ સંદર્ભ :– આવ.નિ. ૧૩૬ની વૃ – ૪ – – – ૦ પદ્માવતી અને વજભૂતિ :- (દ્રવ્ય પરિચ્છેદનું દષ્ટાંત) ભૃગુકચ્છ નગરમાં નભોવાહન રાજા હતો. તેની પદ્માવતી રાણી હતી. તે નગરમાં વજભૂતિ આચાર્ય હતા. તે મહાકવિ હતા. પણ દેખાવમાં મંદરૂપ કે કુરૂપ હતા. તેની કવિત્વ શક્તિના અનેક કિસ્સા અંતપુરમાં ગુંજતા હતા. તે પદ્માવતી તેની કાવ્યશક્તિથી હતહૃદયા થઈને તેમને જોવા માટે તડપવા લાગી. પછી રાજાની અનુજ્ઞાથી દાસી પરિવારથી પરિવરીને વજભૂમિ પાસે ગઈ પણ પોતે છુપાઈને રહી. પદ્માવતીએ કહ્યું કે, વજભૂતિ આચાર્ય કોણ છે? ત્યારે વજભૂતિ આચાર્ય બોલ્યા કે, બહાર ગયા છે. દાસીએ જણાવ્યું કે, આ જ વજભૂતિ છે. ત્યારે તેના વિરૂાપણાને જોઈને તેણીનો રાગ ચાલ્યો ગયો – આ દ્રવ્ય પરિચ્છેદ જાણવો. ૬/૧૬
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy