SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ દાંત ઉપનય ૨૧૭ નભસેને સોય વડે મારી નાંખ્યો, તો પણ દેવલોકથી આવીને તેણે નભસેનને કરતા સંતાપનું નિવારણ કર્યું. તેમની જે ક્ષમા, જે ભાવ અને જે દુષ્કર પ્રતિમા હતા તેને હે ગુણાકાર ! અણગાર ! તું પણ હૃદયમાં ધારણ કર. (૬-૪૩૯ થી ૪૪૦) અવંતિસુકુમાલ :- રાત્રિ સમયે નલિનીગુલ્મ વિમાનનું વર્ણન સાંભળીને ઉજ્જૈનીમાં ધીર એવા અવંતિ સુકુમાલને દેવલોકનું સ્મરણ થયું. તેણે શ્રમણ દીક્ષા ગ્રહણ કરી, સર્વ દિવ્ય આહારનો ત્યાગ કર્યો. બહાર પાદપોપગમન અનશન સ્વીકારીને રહ્યા. પોતાના કાયાના મમત્વનો ત્યાગ કરી દીધો, ત્યારે શિયાણી તેને ખાવા લાગી, તો પણ મેરુ પર્વતની જેમ નિષ્કપ રહ્યા તે દુષ્કરકારકને વંદુ છું. જ્યારે તેઓ કાળધર્મ પામ્યા. ત્યારે દેવોએ સુગંધીપુષ્પ અને જળની વૃષ્ટિ કરી, જે ભૂમિ આજપર્યંત સુગંધયુક્ત છે. જે રીતે તે મુનિએ ત્યાં સમ્યક્ પ્રકારે શુભ મનથી ઇંગિનીમરણ અંગીકાર કર્યું અને ઉત્તમાર્થને સાધ્યો તેને મનમાં સારી રીતે ધારણ કર. (૭–૪૪૧, ૪૪૨) ચંદ્રાવતંસક :- જેઓ નિશ્ચયથી અભિગ્રહને ગ્રહણ કરે છે, દેહનો ત્યાગ કરવો પડે તો પણ અભિગ્રહથી ચલિત થતા નથી. તે ચંદ્રાવતંસક રાજાની માફક સ્વકાર્યને સિદ્ધ કરે છે. દીવો પ્રગટે ત્યાં સુધી કાયોત્સર્ગમાં નગેન્દ્રની જેમ નિશ્ચલ રહીને જે રીતે તેમણે પ્રતિજ્ઞાપાલન કર્યું, તે રીતે તમે પ્રતિજ્ઞાપાલન કરો. (૮૪૪૩) દમદંતઋષિ :- જે રીતે દમદંત મહર્ષિની કૌરવોએ નિંદા કરી અને પાંડવોએ સ્તુતિ કરી ત્યારે બંને પરત્વે સમભાવથી વત્ય એ રીતે સર્વત્ર સમભાવી થવું. (૯-૪૪૪) સ્કંદકશિષ્ય :- (જે રીતે) સ્કંદક ઋષિના શિષ્યો પાણીમાં પીડાતા હતા, તો પણ મનમાં દ્વેષ ધારણ કર્યા વિના શુક્લ મહાધ્યાનમાં સંસક્ત મનવાળા રહ્યા. (૧૦–૪૪૫ થી ૪૪૭) ધન્ય–શાલિભદ્ર – ધન્ય અને શાલિભદ્ર બંને મહર્તિક તપસ્વી અણગારોએ નાલંદા નીકટ વૈભારગિરિ સમીપે શિલા યુગલ પર એક સાથે પાદપોપગમન સંથારાને સ્વીકાર્યો અને અન્યૂન એક માસ માટે અનશને રહ્યા, સવંગનો ત્યાગ કર્યો (વોસિરાવ્યા) શીત અને તાપથી તેમના અંગો ગળી ગયા. અસ્થિ ભગ્ર થયા, માંસ–સ્નાયુ નાશ પામ્યા, બંને મહર્ષિ અનુત્તરવાસી એવા મહર્તિક દેવો થયા. (૧૧–૪૪૮, ૪૪૯) હાથી :- જે રીતે સ્વનામક બંને હાથીના આજપર્યંત અસ્થિનિવેશ, દેવતાના અનુભાવથી લોકમાં આશ્ચર્યરૂપે વર્તે છે, તે હાથી માંસચર્મવત્ અને દુર્બળ થવા છતાં સ્વયં ચલિત ન થયા તે પ્રકારે અલ્પ પણ દુઃખને સહન કરવું. (૧૨-૪૫૦ થી ૪૬૫) પાંડવ :- (આ કથા શ્રમણ વિભાગમાં પાંડવોની કથામાં લખાયેલી છે તે પ્રમાણે જ જાણવી) (૧૩-૪૬૬) દંડ અણગાર :- આતાપના ભૂમિમાં રહેલ દંડ અણગારે વીરની માફક બાણનો ઘાત સહન કર્યો અને સમ્યક્તયા પરિનિવૃત્ત થયા. (૧૪-૪૬૭, ૪૬૮) સુકોશલ – ચિત્રકૂટ પર્વત પર પ્રતિમામાં સુસ્થિત એવા સુકોશલ મુનિ પોતાની જ માતા જે મરીને વાઘણ બની હતી તેના દ્વારા ખવાયા છતાં અકલુષભાવે રહ્યા, તે રીતે સાધુએ ક્ષમા ધારણ કરવી.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy