SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યતીર્થિક કથાનક ૧૦૫ આવ૨.૧– ૪૬૬; ઋષિ ૪૧; – – ૪ – ૦ પૂરણતાપસ કથા : (આ કથા ચમરેન્દ્રની કથામાં આવી જ ગયેલ છે. કેમકે તે ચમરેજનો પૂર્વભવ છે. અહીં માત્ર તેના તાપસપણાનો ઉલ્લેખ જ કરેલ છે.) તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપના ભારતવર્ષમાં વિંદ્યાચલની તળેટીમાં બેભેલા નામક સંનિવેશ હતું. ત્યાં પૂરણ નામે ગાથાપતિ રહેતો હતો. તેની સમગ્ર વક્તવ્યતા તામલી તાપસ સમાન છે. વિશેષ એ કે ચાર ખાનાવાળું કાષ્ઠમય પાત્ર બનાવેલ. તેમજ મુંડિત થઈને દાનામાં નામની પ્રવજ્યા અંગીકાર કરેલી. છઠના પારણે છઠ તપ કરતા, રોજ આતાપના ભૂમિમાં સૂર્ય સન્મુખ રહીને આતાપના લેતા. પારણે આતાપના ભૂમિમાંથી ઉતરી બેભેલ સંનિવેશમાં ઊંચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષા વિધિથી ભિક્ષાચરીએ જતાં પ્રાપ્ત ભિક્ષામાંથી પ્રથમ ખાનાની ભિક્ષા માર્ગમાં પથિકોને આપતા, બીજા ખાનાની ભિક્ષા કાગડા-કુતરાને આપતા, ત્રીજા ખાનાની ભિક્ષા કાચબા – માછલાને આપતા અને ચોથા ખાનાની ભિક્ષાથી સ્વયં આહાર કરતા હતા. ઇત્યાદિ – ૮ – ૮ – ૮ – – ૮ – ૮ – ૮ – છેલ્લે અનશન કર્યું, ચાવજીવન આહાર–પાણીના પ્રત્યાખ્યાન કર્યા. પાદપોપગમન સંથારો કર્યો. – ૮ – ૮ – ૮ – માસિકી સંલેખના કરી – ૪ – ૪ – અમરઇન્દ્રરૂપે ઉત્પન્ન થયા. ૦ આગમ સંદર્ભ:ભગ. ૧૭૨; ૦ કૌડિન્ય – દત્ત અને શેવાલ તાપસની કથા : (આ કથા કૌડિન્ય – દત્ત શેવાલ શ્રમણોની કથામાં આવી ગયેલ છે. આ ત્રણે તાપસીની સ્વ શિષ્યો સાથેની કથાનો ઉલ્લેખ વજસ્વામીની કથામાં વજસ્વામીના પૂર્વભવના વર્ણન વખતે તથા ગૌતમસ્વામીની કથામાં ૧૫૦૦ તાપસોના પ્રતિબોધ અવસરે આવી જ ગયેલ છે. અત્રે તેનો કથાસાર રજૂ કરેલ છે.) જ્યારે શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમ સ્વામીને કહેલું કે જેઓ સ્વલબ્ધિએ અષ્ટાપદ તીર્થે જઈને ત્યાંના ચૈત્યોની વંદના કરે છે, તે આ જ ભવે મોક્ષ પામે છે, ત્યારે આ જવાબ સાંભળીને કૌડિન્ય, દત્ત અને શેવાલ એ ત્રણે તાપસો પોતપોતાના ૫૦૦૫૦૦ શિષ્યો સાથે અષ્ટાપદ તીર્થે જવા પ્રવૃત્ત થયા. કૌડિન્ય તાપસ પરિવાર સહિત એકાંતર ઉપવાસ કરતા પારણે સચિત્ત કંદમૂલનો આહાર કરતા હતા. તે અષ્ટાપદની પ્રથમ મેખલા સુધી પહોંચ્યા. દત્તતાપસ પરિવાર સહિત છઠને પારણે છઠ કરતા હતા. પારણે પડેલા પત્ર-પુષ્પાદિનો આહાર કરતા હતા. તે અષ્ટાપદની બીજી મેખલાએ પહોંચ્યા, શેવાલ તાપસ પરિવાર અઠમને પારણે અઠમ કરતા હતા. પારણે સ્વયં પ્લાન બનેલી અર્થાત્ અચિત્ત વનસ્પતિનો આહાર કરતા હતા. તે બધાં અષ્ટાપદના ત્રીજી મેખલા સુધી પહોંચ્યા – ૮ – ૮ – ૮ –
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy