SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યતીર્થિક કથાનક તાપસ હતો. તેને સૌમિત્રી નામે પત્ની હતી. તેમનો યજ્ઞદત્ત નામે પુત્ર હતો. સોમયશા પુત્રવધૂ હતી. તેઓનો પુત્ર નારદ હતો. જે કચ્છલનારદ પણ કહેવાય છે. તેઓ ઉછ વૃત્તિથી આજીવિકા ચલાવતા હતા. એક દિવસે ભોજન કરતા અને બીજે દિવસે ઉપવાસ કરતા હતા. યજ્ઞદત્ત અને સોમયશા નારદ (બાળક)ને અશોકવૃક્ષ નીચે પૂર્વાણકાળ રાખીને ભિક્ષાર્થે જતા. આ તરફ વૈશ્રમણકાયિક જંભક દેવો માર્ગમાં જતા હતા. તેમણે આ બાળક (નારદ)ને જોયો અવધિજ્ઞાન વડે જાણ્યું કે તે દેવનિકાયથી ચ્યવેલ છે. તેથી અનુકંપાથી તેના પર છાયા કરી, દુઃખમાં ઉષ્ણતામાં રહેલો હતો. તેમાંથી મુક્ત કર્યો. પછી તેને ગુપ્તવિદ્યા શીખવી. કોઈ કહે છે કે તે બાળભાવથી મુક્ત થયો ત્યારે પૂર્વભવની પ્રીતિથી વિદ્યાજુંભક વે પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યા શીખવેલી. નારદ મણિપાદુકા અને સુવર્ણકુંડલ પહેરીને આકાશમાર્ગે ગમન કરતા કોઈ વખતે તે દ્વારાવતી પધાર્યા. વાસુદેવે પૂછેલ પ્રશ્નનો ઉત્તર આપી ન શકવાથી કહ્યું કે પછી કહીશ સીમંધર સ્વામી અને યુગંધર તીર્થંકરને ત્યાં – ત્યાંના વાસુદેવ પૂછેલ તે જવાબ જાણીને નારદે આવીને કહ્યું કે, સત્ય એ શૌચ છે. વાસુદેવે પૂછ્યું તો પછી સત્ય શું છે ? નારદે ઉત્તર ન આપતા નિર્ભર્ત્યના કરી જવા દીધા. નારદે અતિ વિચારણા કરી. જાતિસ્મરણ થયું. પછી તેઓ પ્રત્યેકબુદ્ધ થયા. તેમણે ઋષિભાષિતનું પ્રથમ અધ્યયન ‘શૌચ''ની પ્રરૂપણા કરી. આઠ બ્રાહ્મણ પરિવ્રાજકોમાં પણ નારદનો ઉલ્લેખ આવે છે. આ પરિવ્રાજકો ચાર વેદ, ઇતિહાસ અને નિઘંટુ શાસ્ત્રના અધ્યેતા હોય છે તેના સારગ, પારગ, ધારક, તથા છ અંગના જ્ઞાતા હોય છે. ષષ્ટિતંત્રમાં વિશારદ હોય છે ઇત્યાદિ. અંબડ પરિવ્રાજક અનુસાર જાણવું. તેઓ શૌચમૂલક ધર્મનું પરિપાલન કરે છે. તેઓ એકબીજાને લડાવી મારવા માટે જાણીતા છે. આ વાત દ્રૌપદીની કથામાં અને કમલામેલા સાગરચંદ્રની કથામાં આવી ગયેલ છે X* X - - ઇત્યાદિ X - X - ૦ આગમ સંદર્ભ : નાયા. ૧૭૪ થી ૧૭૬; આનિ. ૧૨૯૫ + ; નંદી. ૪૬–૧ ઉવ. ૪૫; *પૃ ૧૦૬; કલ્પસૂત્રવૃત્તિ; ૧૦૩ - × *→ આવ..૧.૫ ૧૨૧; ૨- ૧૯૪; દસ.નિ. ૧૯૩ની વૃ; ૦ વૈશ્યાયન બાલતપસ્વીની કથા : (આ સંપૂર્ણ કથા ભગવંત મહાવીરના ચરિત્રમાં આવે છે. તેમાં “ભગવંતનું નવમું ચાતુર્માસ - અનાર્યભૂમિમાં' એ શિર્ષક હેઠળની કથામાં આ કથાનક નોંધાયેલું છે. ભગવંત મહાવીર અનાર્યભૂમિમાં નવમું ચોમાસુ કર્યા પછી છદ્મસ્થાવસ્થામાં જ વિહાર કરતા હતા. ગોશાળો પણ તેમની સાથે વિચરતો હતો. એ રીતે વિચરતા—વિચરતા કૂર્મગ્રામ પહોંચ્યા. ત્યાંનો આ કથા પ્રસંગ છે ~) કૂર્મગ્રામ નગરની બહાર વૈશ્યાયન નામે બાલતપસ્વી હતો. નિરંતર છટ્ઠ-છટ્ઠ તપકર્મ કરતો, પોતાના બંને હાથ ઊંચા રાખીને સૂર્ય સામે ઊભો રહીને આતાપના ભૂમિમાં આતાપના લેતો હતો. X-X— ગોબર ગ્રામમાં ગોશંખી કણબી હતો - * * *
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy