SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ આગમ કથાનુયોગ-૫ ૦ અંબઇ પરિવ્રાજક કૃતુ સુલતાના સમ્યકત્વની પરીક્ષા : ભગવંતે લાભનું કારણ જાણી રાજગૃહ નગરી જતાં અંબઇ પ્રરિવ્રાજક – શ્રાવકની સાથે સુલતાને કુશલ વાર્તા (ધર્મલાભ) કહેવડાવ્યા. – ૪ – ૪ – ૪ – અંબડે વિવિધ રૂપો વિકુડૂ સુલસાની પરીક્ષા કરી – ૪ – ૪ – ૪ – સમ્યકત્વધારી સુલસા કિંચિંતુ માત્ર ચલિત ન થઈ. (ઇત્યાદિ સમગ્ર વૃત્તાંત શ્રાવક કથા વિભાગમાં – અંબઇ પરિવ્રાજક – શ્રાવકમાં આવી ગયેલ છે. – કથા જુઓ અંબઇ પરિવ્રાજક શ્રાવક). ૦ સુસાની ગતિ : શ્રાવિકા પર્યાયનું દીર્ધકાળ પાલન કરીને, શુદ્ધ સમ્યકત્વથી યુક્ત એવી સુલસા મૃત્યુ પામી દેવલોકે ગઈ, આવતી ચોવીશીમાં તીર્થંકર થઈને મોક્ષે જશે. ૦ આગમ સંદર્ભ :આયા.યૂ.પૂ. ૩૩; ઠા. ૮૭૦ની વૃ; સમ ૩૫૭, ૩૬૨; પન્ન. ૧૮૯ત્ની જ નિસી.ભા. ૩ર + ચૂ વવ.ભા. ૬૪ની વૃ આવ રૃ.૧–પૃ. ૧૫૯, ર–પૃ. ૧૬૪ થી ૧૬૬; આવ.નિ. ૧૨૮૪ની જ આવ.મ . ૨૦૯; દસ . ૯૬, ૧૦૨; ૦ અગ્નિમિત્રા શ્રાવિકાની કથા - ભગવંત મહાવીરના દશ ઉપાસકોમાંના એક એવા પોલાસપુરના શ્રાવક સદ્દાલપુત્રની પત્ની અગ્નિમિત્રા હતી. તેણી શ્રમણોપાસિકા હતી – યાવત્ – શ્રમણ નિગ્રંથોને પ્રાશક અને એષણીય અશન, પાન આદિથી પ્રતિલાભિત કરતી એવી વિચરતી હતી. – ૪ – ૪ – ૪ – જ્યારે સાલપુત્ર શ્રાવકને દેવકૃત્ ઉપસર્ગ થયો અને તે પોતાની પ્રતિજ્ઞાથી ચલિત થયો ત્યારે અગ્નિમિત્રા શ્રાવિકાએ તેને પુનઃ સ્થિર કરી, આલોચનાદિ કરાવી પ્રતિજ્ઞા સ્થિત કરેલ. (આ સમગ્ર કથાનક માટે જુઓ સાલપુત્ર શ્રાવકની કથા) ૦ આગમ સંદર્ભ :ઉવા ૪૧ થી ૪૭ મળે, – ૮ – ૮ – ૦ અનુધરી શ્રાવિકાની કથા – દ્વારાવતી નગરીમાં અમિત્ર નામે એક શ્રેષ્ઠી હતો. તેની પત્નીનું નામ અનુધરી હતું. તે બંને પતિ-પત્ની શ્રાવકધર્મની પ્રતિપાલના કરતા હતા. તેઓને જિનદેવ નામે એક પુત્ર હતો. કોઈ વખતે જિનદેવને રોગો ઉત્પન્ન થયા. તેના રોગની કોઈ ચિકિત્સા થતી ન હતી ત્યારે વૈદ્ય કહ્યું કે, માંસ ખાવામાં આવે તો જ આ રોગ મટી શકે. જિનદેવ શ્રાવકશ્રાવિકાનો પુત્ર હોવાથી માંસ ખાવા માટે તૈયાર ન હતો. સ્વજન–પરિજન અને માતાપિતાએ પુત્રના નેહથી આત્મદોષને ઉપસંહર્યા. જિનદેવે વિચાર્યું કે, મારું મૃત્યુ થાય તો ભલે થાય પણ હું માંસ ખાઈશ નહીં. એમ વિચારી તેણે સાગારી સર્વ સાવદ્યના પચ્ચકખાણ કર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy