SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવિકા કથા ૩૦૩ સુભદ્રાનો ચાંદલો ચોંટી ગયેલ છે. બંને કેવા કામક્રીડારમણ કરતા હશે (વગેરે–વગેરે). ત્યારે તે સુભદ્રાના પતિને થયું કે આવું કેમ બન્યું હશે? અથવા તો વિષયો બળવાનું છે, અનેક ભવથી સંકડાયેલા છો, તેમાં કંઈ પણ બનવું શું અસંભવ છે? ત્યારથી તે સુભદ્રા પ્રત્યે મંદ નેહવાળો થયો. ત્યારપછી સુભદ્રાને આ વૃત્તાંત કોઈપણ રીતે જાણવામાં આવ્યો. ત્યારે તેણી ઘણી જ વ્યથિત થવા લાગી કે આ તો પ્રવચનની – જિનશાસનની ઉઠ્ઠાણા (અવજ્ઞા) થઈ રહી છે. તે વિચારવા લાગી કે મારે હવે આ કલંકને કઈ રીતે દૂર કરવું કઈ રીતે જિનશાસનની અવજ્ઞા ન થાય તેમ કરવું ? પછી તે રાત્રિના પ્રવચન દેવતાને ધ્યાનસ્થ કરીને કાયોત્સર્ગમાં સ્થિત રહી. તે વખતે ત્યાં નિકટમાં રહેલા કોઈક દેવતાએ તેણીના શીલ–સમાચાર જાણ્યા. જાણીને તે દેવતા ત્યાં આવ્યા. સુભદ્રાને પૂછયું કે, હે દેવી ! હું શું કરું તો તેને પ્રિય અર્થાત્ વ્યથામુક્ત કરશે. ત્યારે સુભદ્રાએ કહ્યું કે, તમે કંઈક એવું કરો કે જેથી આ જિનશાસનની ઉડ્ડાણા થતી બંધ થાય. હું પ્રવચનની મલિનતાને સહન કરી શકતી નથી. ત્યારે તે દેવતાએ કહ્યું કે, હું જરૂર આ ખોટા કલંકનું નિવારણ કરીશ. હું સવારે આ નગરીના હારોને બંધ કરી દઈશ. ત્યારપછી અધૃતિ પામેલા – આકુળ વ્યાકુળ થતા નગરજનોને આકાશવાણી કરીને કહીશ કે, જે સ્ત્રીએ મનથી પણ કદાપી પરપુરુષની વિચારણા ન કરી હોય તેવી કોઈ સ્ત્રી ચાલણીમાં પાણી ભરીને લઈને નીકળે. નગરના દ્વાર પાસે જઈને ત્રણ વખત તે પાણી હાથમાં લઈને છાંટે, તો જ આ નગરના દ્વાર ઉઘડશે, અન્યથા નગરીના દ્વાર ખુલશે નહીં. ત્યારપછી તે દેવતાએ નગરના દ્વાર સખત રીતે ભીડી દીધા. પછી આકાશવાણી કરી કે પરપુરુષનો મનથી પણ વિચાર ન કર્યો હોય તેવી કોઈ સૌભાગ્યવંતી, શીલવતી સતી જો ચાલણીમાં પાણી લઈને નગરમાંથી નીકળે. ત્યાં જઈને ત્રણ વખત પાણી દ્વાર પર છાંટશે તો જ આ દ્વાર ખુલશે. ત્યારપછી અનેક સ્ત્રીએ પ્રયત્ન કર્યા, પેલા બુદ્ધધર્મી ઉપાસિકાએ પણ પ્રયત્ન કર્યો પણ નગરના દ્વાર કોઈ રીતે ખુલ્યા નહીં. ત્યારપછી સુભદ્રા શ્રાવિકા નગરજનોની સાથે બહાર નીકળી. તેણીએ ચાલણીમાં પાણી ભર્યું. એક બુંદ પાણી પણ ચાલણીના છિદ્રમાંથી બહાર ટપકતું ન હતું. ત્યારપછી તેણી નગરના દ્વારે આવીને બોલી કે, હે નગર દેવતા! જો મેં મનથી પણ ક્યારેય કોઈ પરપુરુષને સેવ્યો ન હોય, તેને મનથી પણ ચિંતવ્યો ન હોય તો આ નગરના દ્વાર ખુલી જાઓ. તેમ બોલીને તેણીએ ત્રણ વખત પાણી લઈને દ્વાર પર છાંટ્યું. નગરના દ્વાર ખુલી ગયા. એ રીતે જિનશાસનની ઉડ્ડાણા બંધ થઈ, પ્રવચનની મલિનતા દૂર થઈ, સર્વત્ર સુભદ્રા શ્રાવિકાની ધર્મશ્રદ્ધા અને તેણીના શીલની પ્રશંસા થવા લાગી. પેલા બૌદ્ધધર્મી પણ બોધ પામીને શ્રાવકધર્મી બન્યા. અન્ય આચાર્યો કહે છે કે, સુભદ્રા શ્રાવિકાએ વારાણસીમાં કાયોત્સર્ગ કરેલો. એડકાસની ઉત્પત્તિ થયેલી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy