________________
૩૦૨
આગમ કથાનુયોગ-૫
૦ સુભદ્રા શ્રાવિકાની કથા –
વસંતપુર નામે નગર હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. તે નગરમાં નિજદત્ત નામે શ્રેષ્ઠી હતો. જે સંયત એવો શ્રાવક હતો. તે શ્રેષ્ઠીને સુભદ્રા નામની પુત્રી હતી. તે ઘણી જ રૂપવતી હતી, ઉદાર શરીરવાળી અને શ્રાવિકા હતી.
જિનદત્ત શ્રેષ્ઠી તેણીને કોઈ સાધર્મિકને જ પોતાની કન્યાને આપવા ઇચ્છતો હતો. કોઈ વખતે કોઈ ચણિક શ્રાદ્ધ (બૌદ્ધધર્મી) વેપારી ચંપાનગરીથી વ્યાપારાર્થે જતો હતો. તેણે આ સુભદ્રા કન્યાને જોઈ તેના રૂપમાં મોહિત થઈને તે બૌદ્ધ ઉપાસકે વિચાર્યું કે જિનદત્ત શ્રેષ્ઠી તેની કન્યાને જૈનધર્મીને જ આપવા ઇચ્છે છે. તેથી કપટપૂર્વક તેણે શ્રાવકપણાનો દેખાવ શરૂ કર્યો. એ રીતે કપટી શ્રાવક થયો.
તે કપટી શ્રાવક એવો બુદ્ધ ઉપાસક ધર્મને શ્રવણ કરવા લાગ્યો. જૈનસાધુની પૂજા, વંદનાદિ કરવા લાગ્યો. કોઈ વખતે તેને ભાવ ઉત્પન્ન થયો. તેણે આચાર્ય ભગવંતને વાત કરી ત્યારે આચાર્ય ભગવંતે તેને સારી રીતે અનુશાસિત કર્યો.
ત્યારે જિનદત્તે તે બૌદ્ધધર્મીના ભાવોને જાણીને પોતાની કન્યા-પુત્રી તેની સાથે પરણાવી. વિવાહકાર્ય સંપન્ન થયું. કેટલોક કાળ વીત્યા બાદ તે બુદ્ધ ઉપાસક તેણીને લઈને ચંપાનગરી પોતાના ગૃહે ગયો. પણ ત્યાં તેની નણંદ, શ્વશુર આદિ બૌદ્ધધર્મી હોવાથી વારંવાર સુભદ્રાની નિંદા કરતા હતા. તેથી તે બુદ્ધઉપાસકે અલગ ઘર માંડીને સુભદ્રા સાથે રહેવાનું શરૂ કર્યું.
ત્યારપછી અનેક સાધુ-સાધ્વી આહાર આદિ નિમિત્તથી સુભદ્રા શ્રાવિકાને ઘેર આવવા લાગ્યા. ત્યારે તે બુદ્ધ ઉપાસક કહેતો કે આ સંયતોમાં (સાધુ-સાધ્વીમાં) દૃઢતયા રક્ત છે. પણ સુભદ્રાનો પતિ તે વાતને ધ્યાને લેતો ન હતો. તેવામાં કોઈ વર્ણ, રૂપ, ગુણ આદિથી યુક્ત એવા તેજસ્વી તરુણ ભિક્ષુ કોઈ પ્રાયોગ્ય નિમિત્તથી – (આહારાદિ કારણે) સુભદ્રાને ત્યાં પ્રવેશ્યા.
તે સમયે એવું બન્યું કે વંટોળીયાને કારણે કોઈ રજ કે નાનું તણખલું ઉડીને તે સાધુની આંખમાં પ્રવેશી ગયું તે સાધુની આંખમાં થતી પીડા જોઈને સુભદ્રા શ્રાવિકાને અનુકંપા થઈ. તેથી કેવળ ભક્તિ બુદ્ધિથી તેણીએ પોતાની જીભના અગ્રભાગ વડે તે રજ કે તણખલું જે હતું તે સાધુની આંખમાંથી એ રીતે કાઢી લીધું કે સાધુને સ્પર્શ પણ ન થાય અને છતાં પણ સાધુ ચક્ષુપિડાથી મુક્ત બને.
પરંતુ આ રીતે સાધુની આંખમાંથી તણખલું કાઢતી વખતે સુભદ્રા શ્રાવિકાના કપાળમાં રહેલ તિલક સાધુના કપાળે સ્પર્શી ગયું. બંનેમાંથી કોઈએ વ્યાક્ષિત ચિત્ત હોવાથી આ વાત જાણી નહીં. તે સાધુ જ્યારે સુભદ્રાના ઘરમાંથી બહાર નીકળતા હતા ત્યારે જ પેલી બોદ્ધઉપાસિકા (સુભદ્રાની સાસુ) અચાનક જ ત્યાં આવી ચડી, તેણે પોતાના પતિને (સુભદ્રાના સસરાને) દેખાડ્યું કે જુઓ આ સાધુના કપાળમાં સુભદ્રાનો ચાંદલો ચોંટી ગયેલ છે.
ત્યારપછી તેણીએ સુભદ્રાના પતિ આદિ સર્વેને બતાવ્યું કે જુઓ જુઓ આ સાધુને ! કેટલો વિશ્વાસપૂર્વક સુભદ્રા સાથે રમણમાં સંક્રાંત થયો હશે? તેના કપાળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org