________________
શ્રાવક કથા
૨૯૫
સહિત તેમાં જોડાયો. રથને અનુસરવા લાગ્યો. તેના સામંત આદિ રાજાને પણ પોતપોતાના રાજ્યોમાં મહાનું રથયાત્રા કાઢવા સમજાવ્યા. તેઓએ પણ પોતાના રાજ્યોમાં ઘોષણા કરાવી. સીમાડા પ્રદેશના રાયો પણ સાધુઓ માટે સુખેથી વિહાર થઈ શકે તેવા તૈયાર કરાવ્યા. ૦ અનાર્ય દેશમાં સાધુના વિચરણ માટે સંપ્રતિ રાજાનો પ્રયાસ :
કોઈ સમયે સંપ્રતિ રાજાએ આર્ય સુહસ્તીને પૂછયું કે, હે ભગવંત ! અનાર્ય દેશમાં સાધુઓ કેમ વિહાર નથી કરતા ? પછી આચાર્ય ભગવંતનો અભિપ્રાય જાણીને મનુષ્યોને સાધુઓને પ્રાયોગ્ય વેષ પહેરાવ્યા, સાધુ સમાચારી શીખવી, તેઓને અનાર્ય દેશોમાં મોકલ્યા. એમ કરીને શ્રમણ – સુભટોથી ભાવિત એવા તે દેશોમાં ચારે બાજુ સાધુઓ સુખેથી વિચરી શકે તે રીતે ત્યાંના લોકોને માહિતગાર કર્યા. તે કારણે ત્યાંના લોકો પણ ભદ્રિક બન્યા.
શત્રુ સૈન્યને જિતને સંપ્રતિ રાજાએ આંધ્ર, દ્રવિડ આદિ વિકટ દેશોમાં પણ સાધુઓ સુખેથી વિચરી શકે તેવા સુલભ વિહાર સ્થાનો બનાવડાવ્યા.
તે સંપ્રતિ રાજા નગરના દ્વાર પર પોતાના પૂર્વભવના દરિદ્રપણાના અને ભૂખ્યાપણાના દોષવાળા પ્રસંગોનું સ્મરમ કરી મોટાં ચિત્રામણો કરાવતો હતો અને ભિલુકોને ભોજનનું દાન કરાવતો હતો. વળી દાન આપતાં જે કંઈ પણ વધારો રહે તે સાધુઓને આદરપૂર્વક દાન આપવા સમજાવતો હતો. એ રીતે મુનિઓને પૂર્ણભાવથી ભોજન અને પાણી ઉપલબ્ધ થતા હતા. ૦ સંપ્રતિ કથાસાર :
પરમ સંવેગ ભાવથી સંપ્રતિ રાજાએ આર્ય સુહસ્તિ પાસે સમ્યગ્દર્શન મૂલ પાંચ અણુવ્રતયુક્ત શ્રાવકધર્મ સ્વીકાર્યો. પ્રવચન (જિનશાસન) પ્રત્યે તે પરમ ભક્તિવાન બન્યો.
ચંદ્રગુપ્ત કરતા વિશેષ બળ-વાહનાદિ વિભૂતિ બિંદુસાર પાસે થઈ. અશોકથી રાજા પાસે તેનાથી પણ વધુ વિભૂતિ થઈ અને સંપ્રતિરાજા પાસે સર્વોત્કૃષ્ટ બલ, વાહન આદિ વિભૂતિ થઈ. સંપ્રતિ રાજાના શાસનમાં ત્રસજીવ પ્રતિક્રામક પ્રભાવક શ્રમણ સંઘ થયો.
રાજાને ત્યાં સાધુ ભિક્ષા ગ્રહણ કરે તો રાજપિંડ કહેવાય, તેથી સંપ્રતિ રાજા લોકોને તેટલું મૂલ્ય આપી – આપીને દાન કરાવતો હતો. જો કે આર્યમહાગિરિએ આ જાણ્યું ત્યારે આર્ય સુહસ્તિને વિસંભોગી કર્યા અર્થાત્ એકત્ર માંડલી અને સમુદેશનાદિ વ્યવહાર બંધ કરાવેલો. પછી સુહતિ આચાર્યે સ્વ અપરાધને સમ્યક્તયા ખમાવી, આલોચનાદિ કરી પ્રાયશ્ચિત્ત કર્યું, અકથ્ય આહાર–પાણી લેવાનો નિષેધ કર્યો – ઇત્યાદિ –
તે રાજા ચિરકાળ પર્યત શ્રમણોપાસકત્વ પાળી સ્વર્ગે ગયો. ૦ આગમ સંદર્ભ :નિસી.ભા. ૨૧૫૪, ૫૭૪૪ થી ૫૭૫૭ + ચું,
બુ.ભા. ૩ર૭૧ની વૃક બુદ.ભા. ૨૯૨ થી ૨૯૪, ૩ર૭૫ થી ૩૨૮૯ + ; કલ્પ સૂત્ર – સ્થવિરાવલીની વૃત્તિ
– ––– » ––
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org