________________
શ્રાવક કથા
આંખોમાં નાંખવા તૈયાર થયો. પરિવારે વિનંતી કરી કે પિતાની આવી આજ્ઞા ન જ હોય, એક દિવસનો વિલંબ કરો. પણ કુમારે આ વાત ન સ્વીકારી. તપાવેલ સળીયાથી આંખો આંજી દેતા તે અંધ બની ગયો.
૨૯૩
આ સમગ્ર વૃત્તાંત રાજા અશોકશ્રીએ જાણ્યો ત્યારે તે અત્યંત શોકગ્રસ્ત થઈ ગયો. પછી તેણે કુણાલને ઉજ્જૈનીનું એક મનોહર ગામ આપ્યું. ત્યાં કુણાલે બધી પ્રવૃત્તિ છોડીને સંગીતકળાની સાધના કરી. તેમાં વિશારદ બન્યો. ચારે તરફ તેના ગંધર્વ જ્ઞાનનો યશ ફેલાઈ ગયો. એમ કરતા તેણે પોતાના પિતા અશોક રાજાને ગુપ્ત રીતે સંગીત કળા બતાવી. રાજાએ વરદાન માંગવા કહ્યું ત્યારે પ્રાપ્ત અવસરને જાણીને કુણાલે એક શ્લોક કહ્યો—
ચંદ્રગુપ્તનો પુત્ર બિંદુસાર,પૌત્ર અશોકશ્રીનો પુત્ર જે અંધ છે તે કાકણી રત્નની યાચના કરે છે. તર્ક–વિતર્ક કરતા રાજાએ પૂછ્યું કે, શું તું મારો પુત્ર કુણાલ છે ? તે વાત યથાર્થ લાગી, પડદો દૂર કર્યો. પુત્રને આલિંગન કર્યું. પછી પૂછયું કે, તેં માત્ર કાકણી જેટલું જ કેમ માંગ્યુ ? એટલે નજીક બેઠેલા મંત્રીએ સમજાવ્યું કે કાકણીરત્નો અર્થ રાજ્ય થાય છે. કુણાલને પિતાએ કહ્યું કે, હે પુત્ર ! તું અંધ હોવાથી રાજ્યને માટે યોગ્ય ન ગણાય. તો શું તારે પુત્ર છે ? હા છે. શું ઉંમરનો છે ? ‘સંપ્રત્તિ' અર્થાત્ હમણાં જ જન્મ્યો છે, તે પરથી તે બાળકનું નામ ‘‘સંપ્રતિ’' એ પ્રમાણે સ્થાપન કર્યું.
૦ સંપ્રતિનું રાજા થવું અને આર્ય સુહસ્તિનું દર્શન થવું :
આર્ય સુહસ્તિ પાસે દીક્ષા લેનાર પેલા દ્રમક સાધુનો જીવ મરીને કુણાલના પુત્ર સંપ્રતિ તરીકે ઉત્પન્ન થયો. દશ દિવસની સ્થિતિપતિતા આદિ વિધિપૂર્ણ થઈ, અગિયારમે દિવસે અશુચિ નિવારણ કર્મ થયું. ત્યારપછી સંપ્રતિનો રાજ્યાભિષેક કર્યો, તેને રાજગાદીએ સ્થાપન કર્યો. મંત્રી વગેરેની વ્યવસ્થા કરી. રાજા અશોકશ્રી મૃત્યુ પામ્યો. પૂર્વોપાર્જિત પુણ્યના પ્રભાવથી તે સંપ્રતિ દેહલક્ષ્મી તેમજ રાજ્યલક્ષ્મી બંનેથી વૃદ્ધિ પામતો અનુક્રમે યૌવન અને શ્રી સંપન્ન થયો.
કોઈ સમયે અપ્રતિબદ્ધ વિહાર કરતા કરતા ઉત્તમ ગુણવાન્ અને ઘણાં શિષ્ય સુમદાયથી પરિવરેલા આર્ય સુહસ્તી આચાર્ય પાટલિપુત્ર નગરના બહારના ઉદ્યાનમાં સમોસર્યા. કોઈ સમયે મહેલની અટારીએ ઊભેલા રાજાએ રાજમાર્ગમાં ચતુર્વિધ સંઘથી અનુસરાતા, આર્ય સુહસ્તિને જોયા. આમને મેં ક્યાંક જોયા છે. એમ મનોમન તર્કવિતર્ક કરતા તેને મૂર્છા આવી. ભૂમિ પર ઢળી પડ્યો. ઠંડા પાણીથી સિંચાતા, વીંઝણા વડે પવન નંખાતા તેની મૂર્છા ઉતરી ગઈ. તેને જાતિ સ્મરણજ્ઞાન થયું. પૂર્વ જન્મનો વૃત્તાંત સ્મરણમાં આવ્યો.
ત્યારે અતિ હર્ષાયમાન થયેલો, રોમાંચિત ગાત્રોવાળો થયેલ સંપ્રતિ રાજા નીચે આવ્યા. આર્ય સુહસ્તિ સૂરિને વંદના કરીને આચાર્ય ભગવંતને પૂછયું કે, હે ભગવન્ ! જિનધર્મના આદર અને અનુષ્ઠાનનું ફળ શું ? આચાર્ય ભગવંતે કહ્યું, સ્વર્ગ અથવા મોક્ષ. પછી તેણે પૂછયું કે, અવ્યક્ત સામાયિકનું ફળ શું છે ? ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org