SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ આગમ કથાનુયોગ-૫ ૦ આગમ સંદર્ભ:આવ.નિ ૫૧૭; આવ.યૂ.૧–પૃ. ૩૧૫, ૩૧૯; ૦ જિનદાસ શ્રાવકની કથા : મનોગતિના વિષયમાં આ દષ્ટાંત છે– જિનદાસ નામે એક શ્રાવક હતો, તે શ્રેષ્ઠીપુત્ર હતા. તે એક વખતે યાનશાળામાં રાત્રિપ્રતિમા ગ્રહણ કરીને રહેલો હતો. તેની પત્ની પોતાના કોઈ યારપુરુષ સાથે જ ત્યાં રાત્રિના આવી. તેની સાથે ખીલાવાળો પલંગ હતો. તેઓએ પલંગ પાથર્યો. તેના એક પાયાનો ખિલો જિનદાસના પગ ઉપર ખેંચી ગયો. તેનાથી તેનો પગ વિંધાઈ ગયો. તે વખતે પત્નીનો અનાચાર પણ જિનદાસની દૃષ્ટિ સમક્ષ થતો હતો અને પગ વિંધાવાથી શરીરને પણ દુસ્સહ વેદના થતી હતી. આ સ્થિતિમાં પણ તે પોતાના ધ્યાનથી જરા પણ વિચલિત ન થયો. આ રીતે શ્રાવકે મનોગુપ્તિ પાલન કરવું જોઈએ. ૦ આગમ સંદર્ભ :જી.ભા. ૭૮૬ થી ૭૯૦; ૦ જિનદાસ શ્રાવકની કથા : મથુરા નગરીનો એક વણિક, જેનું નામ જિનદાસ હતું. તે શ્રાવક હતો. સાધુદાસી નામે તેની પત્ની હતી. તે શ્રાવિકા હતી. તે બંને જીવ–અજીવ આદિ તત્ત્વના જ્ઞાતા હતા. તેમજ ભાવથી પણ ધર્મપાલન કરતા હતા. તેઓએ પરિગ્રહ પરિમાણમાં ચતુષ્પદના પ્રત્યાખ્યાન કરેલા હતા. તેઓ રોજેરોજનું દહીં ખરીદતા હતા. કોઈ આહિરણ દહીં લઈને આવી. તેણીએ સાદાસી શ્રાવિકાને કહ્યું કે, તમે હવેથી ક્યાંય દહીં શોધવા ન જશો. હું રોજ અહીં આવીને આપી જઈશ. ત્યારથી તે શ્રાવિકા તેણીની પાસેથી જ દહીં ખરીદતી હતી. તેથી તે બંનેને મૈત્રી થઈ ગઈ.. સાધુદાસી શ્રાવિકા પણ તેને ઘણી વખત ગધપુટિકા આપતી હતી. આભિરણ પણ તેણીને દહીં, દૂધ આદિ આપતી. એ પ્રમાણે તેઓને દૃઢ મિત્રતા થઈ ગઈ. કોઈ વખતે તે આભિરણના ગોપોનો વિવાહ થયો. ત્યારે તેમણે જિનદાસ અને સાધુદાસીને વિવાહ માટે નિમંત્રણ આપ્યું. ત્યારે તે દંપતીએ કહ્યું કે, અમો કાર્યમાં રોકાયેલા છીએ તેથી અમે વિવાહમાં આવી શકીશું નહીં. પણ તારે જે કંઈ ઉપયોગી – જરૂરી હોય તે ભોજન માટેના વાસણ આદિ, વસ્ત્ર, આભરણો, ધૂપ, પુષ્પ, ગંધ, માળા વગેરે વર-વહુ માટે જોઈએ તે લઈ જજે. ત્યારપછી તે બધુ વસ્તુ આપી. ત્યારે તે વર-કન્યા ઘણાં શોભતા હતા. લોકોએ પણ તેમની ઘણી જ પ્રશંસા કરી. તે વખતે તે આભિરણે ખુશ થઈને જિનદાસ તથા સાધુદેવીને બે-ત્રણ વર્ષની ઉંમરના કંબલ અને શંબલ નામના બે ગોપ—બળદો કે જે હૃષ્ટ–પુષ્ટ શરીરવાળા હતા, તે તેમને ત્યાં ભેટરૂપે મૂકી ગયા. શ્રાવક દંપત્તિ તેનો સ્વીકાર કરવા તૈયાર ન હતા. કેમકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy