SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથા ૧૬૯ હારે રહ્યા. લાંબાકાળ સુધી ત્યાં રહ્યા. આચાર્ય ચલિત થતા ન હતા, બોલતા ન હતા, ઉચ્છવાસ–નિઃશ્વાસ પણ સ્પંદિત થતા ન હતા. સૂક્ષ્મ ધ્યાનમાં હતા. આ વાત કોઈએ જઈને બીજાને કહી. તેઓ રોષાયમાન થયા. હે આર્ય ! તમારા આચાર્ય કાળધર્મ પામ્યા તો પણ તમે કહેતા નથી. પુષ્યમિત્રે કહ્યું, તેઓ કાળધર્મ પામ્યા નથી પણ ધ્યાન કરી રહ્યા છે. તમે તેમને વ્યાઘાત કરશો નહીં. બીજા કહેવા લાગ્યા કે, આ પ્રવ્રજિત લિંગી વૈતાલની સાધના કરવાના લક્ષણયુક્ત આચાર્ય લાગે છે. આજે રાત્રે આપણે જોઈશું. તેઓ તેમને ભાંડવા લાગ્યા. પુષ્યમિત્રે તેમને રોક્યા. ત્યારે તેમણે આ વાત રાજાને કરી, તેમને બોલાવ્યા. આચાર્ય કાળધર્મ પામ્યા છે, પણ આ સાધુ તેમને કાઢવા દેતા નથી. રાજાએ પણ તેમને જોયા. તેને પણ લાગ્યું કે આચાર્ય કાળધર્મ પામ્યા છે. પુષ્યમિત્રની વાત ન માની. તેઓએ શિબિકા તૈયાર કરી. ત્યારે પુષ્યમિત્રએ જાણ્યું કે નિશ્ચયથી હવે તેમનો વિનાશ કરશે. પુષ્યભૂતિએ પૂર્વે જ કહી રાખેલ કે જો અગ્નિ કે અન્ય કોઈ ભય ઉત્પન્ન થાય તો તારે મારા અંગુઠાને સ્પર્શ કરવો, પુષ્યમિત્રએ સ્પર્શ કર્યો. જાગૃત થઈને પુષ્યભૂતિએ કહ્યું, હે આર્ય ! કેમ વ્યાઘાત કર્યો ? પુષ્યમિત્રએ કહ્યું, આ બધું જુઓ. તમારા શિષ્યોએ આ બધું કરેલ છે. પુષ્યભૂતિ આચાર્યએ તેમનો તિરસ્કાર કર્યો. આ પ્રમાણે જો ધ્યાનમાં પ્રવેશ થાય તો યોગ સંગૃહીત થાય. જ (ઉક્ત કથા સાવર વૃત્તિ મુજબ લખી છે, સાવશ્ય પૂર્તિ માં તેમનું નામ “વસુભૂતિ” નોંધેલ છે. ૦ આગમ સંદર્ભ :બુદ.ભા. ૬૨૯૦; વવ.ભા. ૧૧૭૨, ૧૧૮૮ + વૃ; આવનિ ૧૩૧૭ + 4 આવ.યૂ.ર–પૃ. ૨૧૦; ૦ પુષ્યમિત્ર કથા - આચાર્ય આર્યરક્ષિતના ત્રણ શિષ્યો હતા. જેમના નામના અંતે પુષ્યમિત્ર આવે છે. જેમકે દુર્બલિકા પુષ્યમિત્ર આદિ. આ ત્રણે પુષ્યમિત્રની કથા આર્યરક્ષિતસૂરિમાં આવી ગઈ છે – કથા જુઓ આર્યરક્ષિત. ૦ આગમ સંદર્ભ :આયા યૂ.પૂ. ૨; સુય.પૂ.પૂ. ૫; નિસી.ભા. ૫૬૦૭ + ચું, આવ.ભા. ૧૪ર + વૃ; આવ.ચૂં.૧–પૃ. ૪૦૯; – » –– » –– ૦ પોતપુષ્યમિત્ર કથા : આર્યરક્ષિતસૂરિના એક શિષ્ય પોતપુષ્યમિત્ર હતા. તેમના પાસે એવી (ઋદ્ધિ) વિદ્યા હતી, જેના વડે તે ઇચ્છે ત્યારે વસ્ત્રો ઉત્પન્ન કરી શકતા હતા. આ કથા આર્યરક્ષિત કથામાં આવી ગયેલ છે. ૦ આગમ સંદર્ભ :
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy