________________
૪૮
આગમ કથાનુયોગ-૩
૦ ઉદક પેઢાલપુત્રની સ્વપક્ષની સ્થાપના :
ઉદક પેઢાલપુત્રએ વાદસહિત ભગવદ્ ગૌતમને આ પ્રમાણે કહ્યું, હે આયુષ્યમાનું ગૌતમ ! એવો કોઈ જ પર્યાય નથી. જેમાં શ્રમણોપાસક એક પ્રાણીના પ્રાણાતિપાતવિરમણરૂપ ત્યાગને પણ સફળ બનાવી શકે, તેનું કારણ શું છે ?
- પ્રાણી સંસરણશીલ – પરિવર્તનશીલ છે. તેથી ક્યારેક સ્થાવર પ્રાણી ત્રસ થઈ જાય છે અને ત્રસ પ્રાણી પણ સ્થાવર રૂપે ઉત્પન્ન થઈ જાય છે.
તેઓ બધાં સ્થાવરકાયને છોડીને ત્રસકાયમાં ઉત્પન્ન થઈ જાય છે. બધાં ત્રસકાયને છોડીને સ્થાવરકાયમાં ઉત્પન્ન થઈ જાય છે જ્યારે તે બધાં સ્થાવરકાયમાં ઉત્પન્ન થઈ જાય ત્યારે તેઓ ઘાતને યોગ્ય થઈ જાય છે. ૦ ભગવદ્ ગૌતમ દ્વારા તેનો પ્રત્યુત્તર :
ભગવનું ગૌતમે વાદસહિત ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું, હે આયુષ્યમનું ! અમારા વક્તવ્ય અનુસાર જ નહીં, પણ તમારા વક્તવ્ય અનુસાર પણ તે પર્યાય છે. જેમાં શ્રમણોપાસક બધાં પ્રાણીઓ – યાવત્ – સમસ્ત સત્વોની હત્યાનો ત્યાગ કરી શકે છે.
તેનું કારણ શું છે ? પ્રાણી સંસરણશીલ છે.
જો કે ત્રસપ્રાણી પણ સ્થાવરરૂપે ઉત્પન્ન થાય છે અને સ્થાવર પણ ત્રસરૂપે ઉત્પન્ન થાય છે. તે બધાં ત્રસકાયને છોડીને સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે અને સ્થાવરકાયને છોડીને ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે. તેથી જ્યારે તેઓ બધાં ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે સ્થાન હત્યાને યોગ્ય હોતું નથી.
તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મોટા શરીરવાળા અને લાંબાકાળ સુધી સ્થિત રહેનારા હોય છે. એવા પ્રાણીઓ ઘણાં છે, જેનાથી શ્રમણોપાસકને સુપ્રત્યાખ્યાન થઈ શકે છે. તેવા પ્રાણી બહુ ઓછા છે, જેનાથી શ્રમણોપાસકને અપ્રત્યાખ્યાન હોય છે. આ પ્રકારે તે મોટા ત્રસકાયની હત્યાથી શાંત અને વિરત થાય છે. જેને માટે તમે અથવા અન્ય કોઈ એમ કહે છે – “એવો એક પણ પર્યાય નથી, જેના માટે શ્રમણોપાસકનો એક પ્રાણીના ઘાતનો પણ ત્યાગ ન થઈ શકે. તેથી આપનું આ કથન ન્યાયસંગત નથી. ૦ શ્રમણ દૃષ્ટાંત :
ભગવદ્ ગૌતમસ્વામી કહે છે કે, નિર્ચન્થોને એમ પૂછવામાં આવે છે કે, હે આયુષ્યમાનું નિર્ચન્હો ! આ લોકમાં કોઈ મનુષ્ય એવા હોય છે – જે આ પ્રમાણેની પ્રતિજ્ઞા કરે છે – આ જે મુંડિત થઈને ગૃહત્યાગ કરીને અણગારિક પ્રવ્રજ્યા અંગીકાર કરી ચૂક્યા છે. તેમને મરણપર્યંત દંડ દેવાનો ત્યાગ કરતો નથી.
તે શ્રમણોમાં કોઈ શ્રમણ ચાર, પાંચ કે છ અથવા દશ વર્ષ સુધી ઘણાં દેશોમાં વિચરણ કરીને શું પુનઃ ગૃહસ્થ બની જાય છે ?
હાં, તેઓ ગૃહસ્થ બની જાય છે. તે ગૃહસ્થોને મારનારા તે પ્રત્યાખ્યાનધારી પુરુષનું શું તે પ્રત્યાખ્યાન ભંગ થાય ? આ કથન યુક્તિ સંગત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org