SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ આગમ કથાનુયોગ-૩ આર્તક મુનિએ તેમને પ્રત્યુત્તર આપતા કહ્યું હે સાંખ્યો! આ પ્રકારે આપના મત સાથે અમારા મતની એકતા થઈ શકતી નથી કેમકે તમારા મતાનુસાર સુભગ, દુર્ભગ આદિ ભેદ થઈ શકતા નથી, જીવનું પોતાના કર્મથી પ્રેરિત થઈને વિવિધ ગતિઓમાં જવાનું પણ સિદ્ધ થતું નથી અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રરૂપ ભેદ પણ સિદ્ધ થતો નથી અને કીડા, પક્ષી, સરિસૃપ આદિ ગતિઓ પણ સિદ્ધ થતી નથી. મનુષ્ય તથા દેવતા આદિ ગતિઓના ભેદ પણ સિદ્ધ થશે નહીં. આ લોકને કેવળજ્ઞાન દ્વારા ન જાણીને જે અજ્ઞાનીઓ ધર્મનો ઉપદેશ કરે છે, તે જીવ સ્વયં નષ્ટ થઈને, પોતાનો તથા બીજાનો પણ અપાર તથા ભયંકર સંસારમાં નાશ. કરે છે. પરંતુ સમાધિયુક્ત જે પુરુષ પૂર્ણ કેવળજ્ઞાન દ્વારા આ લોકને સારી રીતે જાણે છે અને સત્યધર્મનો ઉપદેશ આપે છે, તે પાપથી પાર થઈ ગયેલા પુરુષ પોતાને અને બીજાને પણ સંસાર સાગરથી પાર ઉતારે છે. આ લોકમાં જે પુરુષ નિંદનીય આચરણ કરે છે અને જે પુરુષ ઉત્તમ આચરણનું પાલન કરે છે, તે બંનેના અનુષ્ઠાનોને અજ્ઞજીવ પોતાની ઇચ્છાથી સમાન બતાવે છે અથવા શુભ અનુષ્ઠાન કરનારાને અશુભ આચરણ કરનારા અને અશુભ અનુષ્ઠાન કરનારાને શુભ આચરણ કરનારા આ પ્રકારની વિપરિત પ્રરૂપણા કરે છે. ૦ આર્કિકમારનો હસ્તિતાપસોને પ્રત્યુત્તર : હસ્તિતાપસો કહે છે કે, અમે લોકો શેષ જીવોની દયાને માટે વર્ષભરમાં બાણ દ્વારા એક મોટા હાથીને મારીને વર્ષપર્યંત તેના માંસથી નિર્વાહ કરીએ છીએ. ત્યારે આÁકમુનિએ તેમને ઉત્તર આપ્યો કે વર્ષપર્યંતમાં એક-એક પ્રાણીને મારનારો પુરુષ પણ દોષરહિત નથી. કેમકે ત્યારે શેષજીવોની હત્યાની પ્રવૃત્તિ ન કરનારા ગૃહસ્થ પણ દોષવર્જિત કેમ ન માનવા? જે પુરુષ શ્રમણોના વ્રતમાં સ્થિત રહીને વર્ષભરમાં પણ એક એક પ્રાણીની હત્યા કરે છે. તે અનાર્ય કહેવાય છે. એવા પુરુષને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તત્ત્વદર્શી ભગવંતની આજ્ઞાથી આ શાંતિમય ધર્મ અંગીકાર કરીને અને આ ધર્મમાં સારી રીતે સ્થિત થઈને બંને કરણોથી મિથ્યાત્વની નિંદા કરતો એવો પુરુષ સ્વપરની રક્ષા કરે છે. મહાદુસ્તર સમુદ્રની માફક સંસારસાગરને પાર કરવાને માટે વિવેકી પુરુષોએ ધર્મનું વર્ણન અને ગ્રહણ કરવું જોઈએ – આ પ્રમાણે હું કહું છું. ૦ આર્કકમુનિનું મોક્ષગમન : ત્યારપછી આÁકમુનિ, શ્રેણિક રાજા અને અભયકુમાર એ ત્રણે શ્રી વીર ભગવંતના સમવસરણમાં ગયા. ત્યાં ભગવંત મહાવીરને ત્રણ પ્રદક્ષિણા દઈને અત્યંત ભક્તિ વડે નમસ્કાર કર્યા. ત્યાં ભગવંતે આકમુનિને હિતશિક્ષા આપી. પછી તીવ્ર તપશ્ચર્યારૂપી અગ્નિ વડે સર્વ કર્મરૂપી ઇંધનને દહન કરીને અનુક્રમે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી આÁકમુનિ આયુષ્યનો ક્ષય કરીને મોક્ષમાં પધાર્યા. નોંધ – આર્દ્રકુમારને સૂય. ૭૩૮ની વૃત્તિમાં પ્રત્યેકબુદ્ધ કહેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005010
Book TitleAgam Kathanuyoga Gujarati Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy