SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથાઓ ઋદ્ધિસત્કાર સહિત નીહરણ કર્યું, કરીને ઘણાં લૌકિક મરણોત્તર કાલીન કૃત્યો કર્યા. તે કૃત્યો કરીને પછી સમય વ્યતીત થતા તેઓ શોકરહિત થયા. ત્યારપછી તે ૫૦૦ ચોરોએ પરસ્પર એકબીજાને બોલાવ્યા, બોલાવીને તેઓએ આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! આપણા વિજય ચોર સેનાપતિ મૃત્યુ પામ્યા છે. વિજય ચોર સેનાપતિએ આ ચિલાત તસ્કરને ઘણી જ ચોર વિદ્યા, ચોર મંત્ર, ચોર માયા અને ચોર કપટવિદ્યા શીખવાડેલ છે. તેથી હે દેવાનુપ્રિયો ! આપણા માટે એ શ્રેયસ્કર છે કે ચિલાત તસ્કરનો સિંહગુફા નામની ચોરપલ્લીના ચોર સેનાપતિરૂપે અભિષેક કરવામાં આવે આ પ્રમાણે કહીને તેઓએ એકબીજાની વાતનો સ્વીકાર કર્યો, કરીને ચિલાતને સિંહગુફા ચોર પલ્લીના ચોર સેનાપતિરૂપે અભિષેક કર્યો. -- ૨૩૭ ત્યારપછી તે ચિલાત ચોરસેનાપતિ થઈ ગયો જે અધાર્મિક, અધર્મસ્થિત, અધર્મીઓનો પ્રિય, પાપકાર્યમાં પ્રવૃત્ત, અધર્મકાર્યનો ઉપદેશક, અધર્મપ્રેક્ષક, અધર્માનુરાગી, અધર્મશીલ સમુદાયનો આચરણ કર્તા, અધર્મ વડે જ વૃત્તિ આજીવિકા ચલાવનાર થઈને વિચરણ કરવા લાગ્યો. ત્યારે તે ચિલાત ચોર સેનાપતિ, ચોર નાયક, ઘણાં જ ચોરોને માટે, જારોને માટે, ગ્રંથિભેદકો માટે, સંધિચ્છેદકોને માટે, ખાતર પાડનારાને માટે, રાજાના અપકારીઓ માટે, ઋણ ધારકો માટે, બાલઘાતકો માટે, વિશ્વાસઘાતકો માટે, જુગારી માટે, ખંડરક્ષકો માટે અને બીજા પણ ઘણાં છેદન–ભેદન કરનારાઓને માટે કુડંગ સમાન આશ્રયદાતા થઈ ગયો. તે એ સિંહગુફા નામની ચોરપલ્લીમાં પાંચસો ચોરોનું અધિપતિત્વ, પ્રમુખત્વ, સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્તરકત્વ, આજ્ઞા ઐશ્વર્યત્વ, સેનાપતિત્વ કરતો–કરતો, પાલન કરતો–કરતો વિચરવા લાગ્યો. તે સમયે તે ચિલાત ચોર સેનાપતિ રાજગૃહનગરના અગ્નિ ખૂણામાં સ્થિત જનપદને ગામ ભાંગવા વડે, નગર ભાંગવા વડે, ગાયોનું હરણ કરીને, મનુષ્યોને બંદી બનાવીને, પથિકોને મારકૂટ કરીને અને સંધિભેદ કરીને પુનઃ પુનઃ પીડા પહોંચાડતો, વિધ્વંસ કરતો, લોકોને સ્થાનહીન અને ધનરહિત કરતો–કરતો વિચરવા લાગ્યો. ૦ ચિલાત દ્વારા સુંસુમાનું હરણ : ત્યારપછી તે ચિલાત ચોર સેનાપતિએ કોઈ એક સમયે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવીને તે ૫૦૦ ચોરોને આમંત્રિત કર્યા, ત્યારપછી સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, ભોજન મંડપમાં તે ૫૦૦ ચોરોની સાથે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, સુરા, મદ્ય, માંસ, સીધુ, પ્રસન્નાનું આસ્વાદન કરતા, વિસ્વાદન કરતા, પીરસતા, ભોજન કરતા અને પછી ૫૦૦ ચોરોનું વિપુલ ધૂપ, પુષ્પ, ગંધ, માળા, અલંકારો વડે સત્કાર, સન્માન કર્યું, સત્કાર, સન્માન કરીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! રાજગૃહનગરમાં ધન્ય નામક એક ધનાઢ્ય સાર્થવાહ છે. તેની પત્ની ભદ્રની આત્મજા અને પાંચ પુત્રો બાદ જન્મેલી સુંસુમા નામની પુત્રી છે. જે પરિપૂર્ણ ઇન્દ્રિયો અને શરીરવાળી – યાવત્ – સુંદર રૂપવાળી છે. તો હે દેવાનુપ્રિયો ! તો આપણે જઈએ અને ધન્ય સાર્થવાહનું ઘર લૂંટીએ. તે લૂંટમાં મળનારું વિપુલ ધન, કનક, રત્ન, For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005010
Book TitleAgam Kathanuyoga Gujarati Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy