________________
તીર્થંકર ચરિત્ર–ભ મહાવીર કથા
આ પ્રમાણે પહેલા ગઢમાં દેવ અને મનુષ્યોની સ્થિતિ જણાવી. બીજા ગઢમાં તિર્યંચો હોય છે અને ત્રીજા (નીચેના) ગઢમાં યાન–વાહનો રહે છે. આ ત્રણે ગઢની બહાર તિર્યંચો, મનુષ્યો અને દેવો બધાં જ આવાગમન કરતા હોય છે. ૦–૨ સામાયિક અધિકારી :~
સામાયિક ચાર પ્રકારે છે. સર્વવિરતિ, દેશવિરતિ, સમ્યકત્વ અને શ્રુત. ભગવંત આ ચારની જ પ્રરૂપણા કરે છે. તે સિવાય અન્ય કોઈ સામાયિક હોતી નથી કે સમવસરણમાં કોઈ અન્ય સામાયિક અંગીકાર પણ કરતું નથી. આ ચાર સામાયિકમાંથી મનુષ્ય ચારમાંની કોઈપણ સામાયિક અંગીકાર કરી શકે છે. તિર્યંચો સર્વવિરતિ સિવાયની બાકી ત્રણમાંની કોઈપણ સામાયિક અંગીકાર કરી શકે છે. દેવોને સમ્યકત્વ કે શ્રુત સામાયિક હોય છે. જો કોઈ મનુષ્ય કે તિર્યંચ વિરતિગ્રહણ ન કરે તો નિયમા દેવોને સમ્યકત્વ સામાયિકની પ્રતિપત્તિ હોય છે.
૩૫૧
‘‘નમસ્તીર્ઘાય’' એ પ્રમાણે બોલીને અને પ્રણામ કરીને ભગવંત દેવ, મનુષ્ય અને તિર્યંચ સંજ્ઞી પ્રાણીઓ સમજી શકે તેવી અને યોજન પ્રમાણમાં સાંભળી શકાય તેવી સાધારણ ભાષામાં ભગવંત દેશના આપે છે. ભગવંત અર્ધમાગધી ભાષામાં દેશના આપે છે. શ્રાવિકાઓ પણ અર્ધમાગધી ભાષા બોલતી હોય છે. દેવોની પણ આ જ ભાષા છે. ભગવંતની વાણી આર્ય—અનાર્ય તથા સર્વે સંજ્ઞી પ્રાણીઓને પોતપોતાની ભાષામાં પરિણમે છે. એવો ભગવંતની વાણીનો અતિશય હોય છે.
ભગવંત તીર્થને શા માટે પ્રણામ કરે છે ? તે જણાવે છે, તીર્થ અર્થાત્ શ્રુતજ્ઞાન. આ શ્રુતજ્ઞાનથી ભગવંતનું તીર્થંકરત્વ હોય છે. તીર્થંકર પણ શ્રુતજ્ઞાન વડે જ ધર્મ કહે છે. લોકમાં તીર્થનું (શ્રુતનું) પૂજિતપણું હોવાથી ભગવંત પણ તેને પૂજે છે આ પ્રવૃત્તિ છે. વિનયકર્મને માટે આ પ્રણામ જરૂરી છે અથવા કૃતકૃત્યતા જણાવવા માટે પણ પ્રણામ કરે છે. તેથી એવું પ્રતીતિ થઈ શકે કે, જેમ ધર્મકથા કહે છે, તેમ તીર્થ (શ્રુત)ને પણ નમન કરે છે.
૦–૩ રૂપ દ્વાર :
ભગવંતનું રૂપ કેવું હોય છે. તે જણાવે છે બધાં જ દેવો કદાચ એકઠા થાય અને સુંદર રૂપ નિર્માણ માટેની તેમની સર્વ શક્તિનો ઉપયોગ કરે અને અંગુઠા પ્રમાણ રૂપની વિકુર્વણા કરે તો પણ જિનેશ્વર ભગવંતના પગના અંગુઠા જેટલું રૂપ પણ વિકુર્વવા સમર્થ નથી. તીર્થંકરની રૂપ સંપત્તિ કરતા અનંતગુણહીન ગણધરનું રૂપ હોય છે. ગણધરના રૂપથી અનંતગુણહીન આહારક શરીરીના દેહનું રૂપ હોય છે. આહારક દેહના રૂપથી અનંત ગુણહીન અનુત્તર વૈમાનિક દેવોનું રૂપ હોય છે. તેનાથી અનંત ગુણ, અનંત ગુણ હીનરૂપ અનુક્રમે ત્રૈવેયક દેવ, અચ્યુત દેવ યાવતુ સૌધર્મ દેવનું રૂપ હોય છે સૌધર્મ દેવના રૂપથી અનંતગુણ, અનંતગુણ હીન અનુક્રમે ભવનપતિ દેવનું, જ્યોતિષ્ક દેવનું, વ્યંતર દેવનું રૂપ હોય છે.
વ્યંતર દેવોના રૂપથી અનંતગુણ હીનરૂપ અનુક્રમે ચક્રવર્તીનું, તેનાથી વાસુદેવનું, તેનાથી બળદેવનું, તેનાથી માંડલિક રાજાનું રૂપ અનંત ગુણહીન હોય છે. શેષ રાજા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org