________________
૩૪૬
આગમ કથાનુયોગ-૧
મનોગમ, વિમલ તથા સર્વતોભદ્ર નામના પોતપોતાના વિમાનમાં આવ્યા હતા. તેઓએ અનુક્રમે મૃગ, મહિષ, વરણુ, છગલ, દુર્દર, ઘોડો, હાથી, ભુજગ, ખગ તથા વૃષભના ચિહ્નોથી અંકિત મુગટ ધારણ કરેલ હતા. તે શ્રેષ્ઠ મુગટો તેમના સુંદર મસ્તકને શોભાવી રહ્યા હતા. કુંડલોની ઉજવલ દીતિથી તેમના મુખ ઉદ્યોતિત હતા. તેઓ લાલ આભાવાળા, પઘગર્ભ સમાન ગૌર કાંતિમય શ્વેત વર્ણવાળા હતા. શુભ વર્ણ, ગંધ, સ્પર્શ આદિને નિષ્પન્ન કરવામાં ઉત્તમ વૈક્રિયલબ્ધિના ધારક હતા. વિવિધ પ્રકારના વસ્ત્ર, સુગંધી દ્રવ્ય તથા માળા ધારણ કરેલા હતા. તેઓ પરમ દ્ધિશાળી અને પરમ દ્યુતિમાન હતા.
તેઓના વિમાન મધ્યાહ્નના સૂર્યના કિરણોથી પણ અધિક પ્રભાવાળા હતા. જેની ચારે તરફ મણી, રત્નો અને સુવર્ણની બનેલ મોતિયોની માળા, ઝમખા આદિ આભુષણ લટકતા હતા. વિમાનોમાં હલતી ઘંટિકાઓના મધુર અવાજ અને બંસરી, વીણા, હસ્તતાલ, ગીત, વાદ્યોના મધુર ધ્વનિથી ગગનમંડલ અને દિશાઓ ગુંજી રહી હતી. તે વિમાનોની પ્રભાથી દિશાઓ શોભી રહી હતી. તે વિમાનોમાં બેસીને હર્ષિત–સંતુષ્ટ મનવાળા દેવો ભગવંતની પાસે આવ્યા. એ જ પ્રમાણે બીજા સામાજિક આદિ દેવો મસ્તક પર વિવિધ ચિન્હોથી અંકિત મુગટ ધારણ કર્યા હતા, જે શુભ અને દર્શનીય હતા તે આવ્યા.
એ જ પ્રમાણે લોકાંત વિમાનવાસી દેવો પણ આવ્યા. તે પ્રત્યેક દેવના કાનમાં મણિરત્નોથી વિરચિત દેદીપ્યમાન કુંડલ શોભતા હતા. તેઓએ પોતપોતાના મસ્તક પર નામાદિ સ્પષ્ટ ચિન્હોથી અંકિત મુગટોને ધારણ કરેલા હતા. પોતાપોતાના વૈભવનું પ્રદર્શન કરતા અને બીજાની દ્ધિને જોતા, જિનેન્દ્ર ભગવંતની વંદના ભક્તિના નિમિત્તથી પ્રેરાઈને, જિનદર્શન માટે ઉત્સુકતાપૂર્વક આવવાથી આનંદિત, વિશાળ સૈન્ય સમૂહ સાથે તે સર્વે દેવો તીવ્રગતિવાળા વિવિધ યાન, વાહન, વિમાન આદિમાં ત્યાં આવ્યા યાવત્ ભગવંતની પર્યાપાસના કરવા લાગ્યા. ૦–૦ અપ્સરા ગણનું આગમન :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પાસે અપ્સરાઓનો સમૂહ આવ્યો. તે અપ્સરાઓના શરીરની કાંતિ અગ્નિમાં તપાવાયેલ અને જળ વડે સ્વચ્છ કરાયેલ સ્વર્ણ જેવી હતી, તેઓ બાલભાવને છોડીને યૌવનમાં પ્રવેશી ચૂકી હતી. તેઓનું રૂપ અનુપમ, સુંદર અને સૌમ્ય હતું. તેમના અંગ-પ્રત્યંગમાં તારુણ્ય છલકી રહ્યું હતું. તેઓ ચિર યૌવના અને સર્વાગ સુંદર હતી, ઇષ્ટ વસ્ત્રાભૂષણો દ્વારા રમણીય વેશભૂષાથી વિભૂષિત હતી.
તેઓએ હાર, અર્ધપાર, રત્નકુંડલ, લટકતા તેમજાલ, મણિજાલ, કનકાલ, સૂત્ર, ટિલડી, કંગન, ખુફુગ, એકાવલિ, કંઠસૂત્ર, મગધક, પરાક્ષ, રૈવેયક, શોણિસૂત્ર, તિલક, પુષ્પક, સિદ્ધાર્થિકા, કર્ણવાલિકા, શશિ, સૂર્યઋષભ, ચક્રક, તલભંગક, ત્રુટિક, હસ્તમાલક, હસ્તિ, કેયુર, વલય, પ્રાલંબ, પ્રલંબ, અંગૂઠી, વલાલ, દીનારમાલિકા, ચંદ્રમાલિકા, સૂર્યમાલિકા, કાંચી, કલાપ, પ્રતરક, પરિફેરક, પાદજાલઘંટિકા, કિંકિણી, રત્નોરુજાલ, શુદ્રિકા, ઝાંઝર, કનકનિકર, જાલક આદિ આભુષણો ધારણ કર્યા હતા.
તેઓએ પંચરંગી, બહુમૂલ્ય, શ્વાસમાત્રથી ઉડવા લાગે તેવા હલકા, મનોહર, સુકોમલ, સ્વર્ણમય તારથી બનેલી કિનારીવાળા, સ્ફટિક તુલ્ય આભાવાળા વસ્ત્રો ધારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org