SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ આગમ કથાનુયોગ-૧ સાત સ્તોક પ્રમાણ લવમાં, ૭૭ લવ પ્રમાણ મુહૂર્તમાં, અહોરાત્રમાં, પખવાડીયામાં, મહિનામાં, ઋતુમાં, અયનમાં, વર્ષમાં કે બીજા પણ કોઈ દીર્ધકાળવાળા સંયોગમાં પ્રભુને પ્રતિબંધ નથી અર્થાત્ સમયના આવા કોઈપણ પ્રમાણમાં ભગવંતને અનુકૂળ કે પ્રતિકૂળપણાને ભાવ નથી. ભાવથી ક્રોધમાં, માનમાં, માયામાં, લોભમાં, ભયમાં, હાસ્યમાં, પ્રેમમાં, વેષમાં, કલહમાં, અભ્યાખ્યાન (આળ ચઢાવવારૂપ પ્રવૃત્તિમાં), પશુન્યમાં (ચાડી ખાવારૂપ પ્રવૃત્તિમાં), પરપરિવાદ (બીજા પ્રાણીની નિંદા કરવામાં), અરતિરતિ (ઉદ્વેગ કે હર્ષ)માં, માયા મૃષાવાદ (કપટવૃત્તિથી અસત્ય બોલી લોકોને ઠગવા)માં યાવત્ મિથ્યાદર્શન શલ્યમાં એ રીતે ક્રોધાદિ તેર પ્રકારના ભાવોમાં ભગવંતને પ્રતિબંધ નથી. એ રીતે ઉક્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ચારમાંથી કોઈપણ પ્રકારે ભગવંતને રાગભાવ કે દ્વેષભાવથી કોઈ જ પ્રકારે પ્રતિબંધ-આસક્તિ નથી. ૦ ભગવંતની વિહાર–ચર્યા અને સંયમવૃત્તિ : ભગવંત વર્ષાવાસ અર્થાત્ ચોમાસા સિવાયના કાળમાં એટલે કે, બાકીના ગ્રીષ્મકાળ અને હેમંતકાળ (શેષકાળ)માં આઠ મહિનામાં ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ એ પ્રમાણે રહીને વિચારતા હતા અર્થાત્ ચાતુર્માસ સિવાયના કાળમાં પ્રભુ વિચરતા રહેતા હતા. તેમાં ગામમાં એક રાત્રિથી વધુ અને નગરમાં પાંચ રાત્રિથી વધુ રહેતા ન હતા. ભગવંત કુહાડા અને ચંદનમાં સમાન વૃત્તિવાળા હતા. એટલે કે કુહાડાની જેમ અપકારક અને ચંદનનો લેપનની જેમ ઉપકારક પર ભગવંત ઠેષ કે રાગ ન કરતા પણ સમાન અધ્યવસાયવાળા હતા. તૃણ હોય કે મણિ, પત્થર હોય કે સુવર્ણ, ભગવંતની વૃત્તિ સમાન હતી. સુખ કે દુઃખને સમાન ભાવે સહેવાવાળા હતા. આ લોક કે પરલોકમાં ભગવંતને પ્રતિબંધ – આસક્તિ ન હતી. જીવન અને મરણની આકાંક્ષાથી રહિત હતા. સંસારરૂપી સમુદ્રનો પાર પામવાવાળા, કર્મરૂપી શત્રુઓનો નાશ કરવાને ઉદ્યત થયેલા. એ રીતે પ્રભુ વિચારી રહ્યા હતા. ૦ ભગવંતનો ઉગ્ર તપ : (આવ.નિ. ૨૪૦) ભગવંત મહાવીર બાર વર્ષ (થી કંઈક અધિક) છદ્મસ્થ પર્યાયમાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્રતપ કર્યો. અન્ય તીર્થકરોની અપેક્ષાએ મહાવીરસ્વામીનો તપ અધિક ઉગ્ર હતો. તે તપ આ પ્રમાણે—(આવ.નિ. પર૭ થી પ૩૮-) વીરવર મહાનુભાવ ભગવંત મહાવીરે છઘર્થીકાળમાં જે તપની આચરણાકારી, તે તપનું યથાક્રમે હું કીર્તન–સ્તવના કરીશ. (ભગવંતે કરેલ તપ અને પારણાની સંખ્યા હું જણાવીશ) ૧. એક છ માસી તપ, ૨. એક પાંચ દિવસ ન્યૂન એવો છ માસી તપ (વિશિષ્ટ અભિગ્રહ પૂર્વકના પાંચમાંસ-પચ્ચીસ દિવસના ઉપવાસ), ૩. નવ ચોમાસી તપ, ૪. બે ત્રણમાસી તપ, ૫. બે અઢી માસી તપ, ૬. છ બેમાસીતપ, ૭. બે દોઢ માસી તપ, ૮. બાર માસક્ષમણ, ૯. બોંતેર પાક્ષિક (પંદર દિવસના ઉપવાસ), ૧૦. બાર અઠમ એક રાત્રિકી પ્રતિમાપૂર્વક, ૧૧. બસો ઓગણત્રીશ છઠ, ૧૨. એક ભદ્રપ્રતિમા બે દિવસ પ્રમાણની, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy