________________
તીર્થકર ચરિત્ર–ભમહાવીર-કથા
૩૨૭
મૃગાવતી રાણી હતી. તત્ત્વવાદી નામે ધર્મપાઠક હતો. સુગુપ્ત નામે અમાત્ય હતો. તે અમાત્યની નંદા નામે પત્ની હતી. તે પરમ શ્રાવિકા હતી. તે શ્રાવિકા મૃગાવતી રાણીની સખી હતી. તે નગરમાં ધનાવહ નામે શ્રેષ્ઠી હતા. જેની મૂલા નામની પત્ની હતી. એ પ્રમાણે તે બધા પોતપોતાના કર્માનુસાર રહેલા હતા.
ત્યાં ભગવંતે પોષવદ એકમ (ગુજરાતી માગસર વદ–૧)ના દિવસે આવા પ્રકારનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ઉગ્ર અભિગ્રહ ધારણ કર્યો. દ્રવ્યથી સૂપડાના ખૂણામાં રહેલા બાફેલા અડદ હોય, ક્ષેત્રથી વહોરાવનારે ઊંબરો ઓળંગેલ હોય અર્થાત્ તેનો એક પગ ઉબરામાં અને એક પગ બહાર હોય. કાળથી ભિક્ષાચરો ભિક્ષા લઈ ગયા પછીનો સમય હોય. ભાવથી દાસીપણાને પામેલી એવી રાજકુમારી હોય, જે બેડીમાં બંધાયેલી હોય, માથું મુંડેલું હોય, રૂદન કરતી હોય, અઠમ ભક્ત (ત્રણ દિવસથી ભોજન ન કર્યું હોય) એ ચારે અભિગ્રહ એક સાથે પૂરા થતા હોય તો ભિક્ષા લેવી કલ્પ અન્યથા ન કહ્યું. આ પ્રમાણે અભિગ્રહ લઈ કૌશાંબીમાં રહ્યા. રોજે રોજ ભગવંત ભિક્ષાચર્યા માટે નીકળતા હતા. જેથી ભિક્ષાચર્યાદિ પરીષહોની ઉદીરણા થતી રહે. એ પ્રમાણે કૌશાંબીમાં ફરતાફરતા ચાર માસ વ્યતીત થયા.
ત્યારે ભગવંત નંદાના ઘેર ભિક્ષાર્થે પ્રવેશ કર્યો. ભગવંત પધાર્યા છે. તે જાણી પરમ આદરપૂર્વક વહોરાવવા માટે આહાર લાવી. ભગવંત (પોતાનો અભિગ્રહ પૂરો થયો નથી તેમ જાણીને) ત્યાંથી નીકળી ગયા. નંદાને ઘણો જ ખેદ થયો. તેણીએ દાસીને કહ્યું, આ દેવાર્ય રોજેરોજ ભિક્ષાર્થે નીકળે છે. (પણ કંઈ ગ્રહણ કરતા નથી ત્યારે તેણીને ખ્યાલ આવ્યો કે, નક્કી ભગવંતે કોઈ અભિગ્રહ કર્યો લાગે છે. તેણીને સતત ખેદ રહ્યા કર્યો. સુગુપ્ત અમાત્યે આવીને કહ્યું કે, શા માટે ખેદ કરે છે ? તેણીએ કહ્યું કે, આપણા આ અમાત્યપણાનો શું લાભ છે ? આટલા લાંબા સમય સુધી ભગવંતને ભિક્ષા પ્રાપ્ત થતી નથી. તમારું વિશિષ્ટ જ્ઞાન શું કામનું? જો તમે ભગવંતનો અભિગ્રહ શું છે? તે પણ જાણી ન શકો. અમાત્યએ તેની પત્ની નંદાને આશ્વાસન આપ્યું કે, કાલે દિવસ ઉગ્યા પછી મારાથી જે બને તે કંઈક કરીશ.
આ વૃત્તાંત વિજયા નામની પ્રાતિહારિણી–દાસીના જાણવામાં આવ્યો. તેણીએ બધી વાત મૃગાવતી રાણીને જણાવી. મૃગાવતીને પણ તે સાંભળીને ઘણું જ દુઃખ થયું. ચેટક રાજાની પુત્રી (ભગવંતના મામાની દીકરી) એવી તે મૃગાવતીને પણ ભગવંતને ચાર માસથી ભિક્ષા મળી નથી જાણીને ઘણું દુઃખ થયું. જ્યારે રાજાએ આવીને તેણીને પૂછ્યું, ત્યારે તેણી બોલી કે, તમારા આ રાજ્યથી મને શો લાભ ? જો ભગવંત આટલા લાંબા સમયથી ભિક્ષા માટે નીકળે છે. છતાં તેમનો ભિક્ષા અભિગ્રહ આપણે જાણીએ નહીં અહીં વિચરે છે તો પણ તમે જાણતા નથી. રાજાએ મૃગાવતીને આશ્વાસન આપ્યું કે, કાલે હું કંઈક કરીને આ માહિતી મેળવીશ.
ત્યારે રાજાએ સુગુપ્ત અમાત્યને બોલાવીને ઠપકો આપ્યો. શું તમને ભગવંત પધાર્યા છે તે ખબર નથી ? ભગવંત ચાર મહિનાથી અહીં વિચરી રહ્યા છે. ત્યારે તેણે તત્ત્વવાદીને બોલાવ્યો. શતાનીક રાજાએ તેને પૂછ્યું, તારા ધર્મશાસ્ત્રમાં સર્વ પાપંડોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org