________________
૩૦૦
આગમ કથાનુયોગ-૧
ત્યારપછી ભગવંત ગોશાળાની સાથે સુવર્ણખલ નામના ગામ તરફ ચાલ્યા. માર્ગમાં કેટલાંક ગોવાળ ગાયનું દૂધ લઈને મોટી હાંડલીમાં નવા-તાજા ચોખા લઈ ખીર રાંધતા હતા. ત્યારે ગોશાળો બોલ્યો ભગવંત! ચાલો આપણે અહીં ખીર ખાઈને જઈએ. સિદ્ધાર્થ વ્યંતરે કહ્યું કે, આ ખીર પાકવાની જ નથી. આ હાંડલી ફૂટી જવાની છે. ત્યારે ગોશાળાને શ્રદ્ધા ન થઈ. તેણે ગોવાળોને કહ્યું કે, આ દેવાર્ય અતીત–અનાગતના જ્ઞાતા છે. તે કહે છે કે, આ હાંડલી ફૂટી જવાની છે. તેથી પ્રયત્નપૂર્વક તેનું રક્ષણ કરો.ત્યારે ખીર રાંધતી વખતે ગોવાળોએ તેનું રક્ષણ કરવા ખૂબ સાવચેતી રાખી વંશાદિથી તે હાંડલીને બાંધી દીધી. તેઓએ ઘણાં ચોખા નાખેલા. ચોખા ફૂલવાથી હાંડલી ફૂટી ગઈ. પછી ગોવાળો જે કંઈ લાવ્યા હતા તે જમી લીધું. ગોશાળાને કંઈ મળ્યું નહીં. ત્યારે તેની નિયતિવાદની ધારણા દૃઢ થી કે, “હું માગૅ તત્ પતિ વ” જે થવાનું હોય તે થાય જ છે.
ભગવંત (સુવર્ણખલથી વિહાર કરી) બ્રાહ્મણ ગામ પહોંચ્યા. ત્યાં નંદ-ઉપનંદ બે ભાઈઓ હતા. તે ગામમાં બે પાડા (પાટક) હતો. એક નંદનો પાટક (પાડો) અને બીજો ઉપનંદનો પાટક (પાડો). ભગવંત ભિક્ષાર્થે નંદના પાડામાં પ્રવેશ્યા. નંદના ઘેર ગયા. નંદે પઠુષિત ભોજન (અન્ન) વહોરાવ્યું. ગોશાળો ઉપનંદના પાડામાં ઉપનંદને ઘેર ગયો. તેણે ભિક્ષા માંગી. પણ ભોજન તૈયાર ન હોવાથી દાસી ઠંડા ભાત લઈને આવી. ગોશાળાએ એવી ભિક્ષા લેવાની ના પાડી. ઉપનંદે ક્રોધથી કહ્યું, હે દાસી ! જો તે ભિક્ષા ન લેતો હોય તો તેના માથા ઉપર ફેંકી દે. દાસીએ તે ચોખા ગોશાળા ઉપર ફેંક્યા. ત્યારે ગોશાળો ગુસ્સે થઈને બોલ્યો કે, જો મારા ધર્માચાર્યનું તપ તેજ હોય તો આનું ઘર બળી જાઓ. ત્યારે નજીકમાં રહેલા કોઈ વાણવ્યંતરે “ભગવંત જૂઠા ન પડે' તેમ વિચારી તેણે ઉપનંદનું ઘર બાળી નાખ્યું. ૦ ભગવંતનું ત્રીજું ચાતુર્માસ–ચંપાનગરીમાં :
ત્યાંથી ભગવંત ચંપાનગરી ગયા. (ગોશાળો પણ સાથે જ હતો.) ભગવંતે ત્યાં ત્રીજુ ચાતુર્માસ વિતાવ્યું. તે ચોમાસામાં બેમાસી તપનો આરંભ કર્યો (સાઈઠ ઉપવાસ કર્યા), ચારે માસ વિચિત્ર, વિવિધ પ્રકારના તપ, સ્થાનાદિ વડે કાયોત્સર્ગ પ્રતિમાદિ, ઉત્કટુક આસન આદિ ઉગ્ર તપ કર્યા. બે માસી તપનું પ્રથમ પારણું ચંપામાં થયું. બીજા બે માસી તપ ચંપાનગરી બહાર કરી, કાલાયસંનિવેશ પધાર્યા. ત્યાં એક શૂન્યગૃહમાં ભગવંત પ્રતિમા ધ્યાને (કાયોત્સર્ગમાં) સ્થિત રહ્યા. ગોશાળા તેના દ્વારપથે આવવાના માર્ગમાં રહ્યો.
તે કાલાયસંનિવેશમાં સિંહ નામનો ગ્રામકૂટ પુત્ર (ગામના મુખીનો પુત્ર) હતો. તે વિદ્યુમ્નતિ દાસીની સાથે તે શૂન્યગૃહમાં પ્રવેશ્યો. ત્યારે તેણે મોટે અવાજે કહ્યું, અહીં જે કોઈ શ્રમણ, બ્રાહ્મણ, પથિક અથવા અન્ય કોઈ પણ રહ્યું હોય, સાધના કરતા હોય તે બીજે ચાલ્યા જાઓ. ભગવંત મૌનપણે રહ્યા. ગોશાળો પણ મૌન રહ્યો. ગ્રામકૂટ પુત્ર અને દાસી રતિક્રીડા કરી ત્યાંથી નીકળતા હતા ત્યારે ગોશાળાએ તે દાસીનો સ્પર્શ કર્યો.દાસી બોલી અહીં કોઈ છે. આ પૂર્વે આપણને અનાચાર કરતા જોયા છે. સિંહમુખીપુત્રએ તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org