________________
તીર્થંકર ચરિત્ર–ભ મહાવીર–કથા
૨૭૯
શોભાથી, સંપૂર્ણ ઉત્કંઠાથી, સમગ્ર સગાં-સંબંધિ, નગરજન આદિના મેળાપથી, સર્વ પ્રકૃતિ અર્થાત્ અઢારે વર્ણની પ્રજાથી, બધી જાતના નાટકો અને તાલ બજાવનારાઓથી, સઘળાં અંતઃપુરથી, સર્વ જાતિના પુષ્પ, વસ્ત્ર, સુગંધી પદાર્થો, માળા અને અલંકારોની શોભા વડે યુક્ત હતા. સર્વ પ્રકારના વાજિંત્રોના શબ્દ અને પ્રતિશબ્દો ધ્વનિત થતા હતા.
(આ રીતે શ્રમણ ભગવંત મહાવીર) મહાદ્યુતિ, મહાયુતિ, મોટું સૈન્ય, ઘણાં વાહનો અને પરિવાર, નગરજન આદિ વિશાળ સમુદાય સાથે નીકળ્યા. તે વખતે ઉત્તમ વાજિંત્રોનો એકી સાથે મહાનું ધ્વનિ–પ્રતિધ્વનિ ગુંજી રહ્યો હતો. શંખ, નગારું, પટ૭, નોબત, ખંજરી, રણશિંગુ, હુડુક્ક, ઇંદુભિ એ સર્વ વાજિંત્રોના ગંભીર નાદ અને નિનાદ થઈ રહ્યા હતા. આવા ઉક્ત આડંબર સહિત ભગવંત કુડપુર નગરના મધ્યભાગથી નીકળ્યા. ભગવંત જિનસિંગે જ નીકળે. અન્ય લિંગ, કુલિંગ કે ગૃહિલિંગ નહીં નીકળીને જ્યાં જ્ઞાતખંડ વન નામનું ઉદ્યાન હતું, અશોક નામનું ઉત્તમ વૃક્ષ હતું ત્યાં આવ્યા.
ત્યાં આવીને ભૂમિથી એકાદ હાથ પ્રમાણે ઊંચે સહસ્ત્રવાહિની ચંદ્રપ્રભા શિબિકાને ધીમે ધીમે રોકાવી. શિબિકા રોકાવીને પ્રભુ તેમાંથી ધીમે ધીમે નીચે ઉતર્યા. નીચે ઉતરીને ધીમે ધીમે સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠા. બીજા મતે અશોક વૃક્ષ નીચે શિબિકા સ્થાપન કરાવી પ્રભુ નીચે ઉતર્યા. પછી પોતાની જ મેળે વીંટી, વીરવલય, બાજુબંધ, હાર, કુંડલ, મુગટ આદિ સર્વ આભુષણ અલંકાર ઉતાર્યા. (આચારાંગ સૂત્ર-પ૩ર મુજબ) વૈશ્રમણદેવ ઘૂંટણ ટેકવીને શ્રમણ ભગવંત મહાવીરના ચરણોમાં ઝકીને અને ભક્તિપૂર્વક પ્રભુના તે આભરણ અલંકારોને હંસલક્ષણ શ્વેત વસ્ત્રમાં ગ્રહણ કરે છે. (આવશ્યક ચૂર્ણિ–૧–પૃ. ૨૬૬ મુજબ) તે કુલમહત્તરા સ્ત્રી (કે જે પહેલેથી જ પ્રભુની સાથે શિબિકામાં શ્વેત વસ્ત્ર લઈને બેઠેલા તેણી) હંસલક્ષણ સંદેશ શ્વેતપટ–સાડી એટલે કે વસ્ત્રમાં આભરણ અને અલંકાર ગ્રહણ કરે છે. એક–એક આભુષણને ગ્રહણ કરતી અને મુકતા–મુકતા રૂદન કરતી-વિલાપ કરતી તે કુલમહત્તરા સ્ત્રીએ ભગવંત મહાવીરને આ પ્રમાણે કહ્યું
તમે જ્ઞાતવંશમાં જન્મ્યા, કાશ્યપ ગોત્રમાં જન્મ્યા, ઉદિતોદિત અને વિખ્યાત કીર્તિ જ્ઞાતકુલમાં સિદ્ધાર્થ ક્ષત્રિયના પુત્રરૂપે તમે જખ્યા. ઉત્તમ જાતિની ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં તમે ઉત્પન્ન થયા. સુકુમાલ ગર્ભમાં આવ્યા. તમે યૌવન વયમાં અભિનિવૃત્ત થયા. અપ્રતિરૂપ એવા રૂપ–લાવણ્ય અને યૌવન ગુણવાળા તમે થયા. તમે અધિક શોભાવાળા, અધિક પ્રેક્ષણીય, અધિક પ્રીતિવાળા, અધિક પ્રશસ્ત, અધિક મતિવિજ્ઞાનવાળા થયા. દેવેન્દ્ર નરેન્દ્રોમાં તમારી કીર્તિ વિસ્તરી.
તેથી હે પુત્ર ! તમે આ સંયમ માર્ગમાં સાવધાન થઈને ચાલજો. પૂર્વઋષિએ આચરેલા માર્ગનું આલંબન કરજો. તલવારની ધાર સમાન મહાવ્રતોનું પાલન કરજો, પુરુષાર્થ અને પરાક્રમ કરજો. શ્રમણ ધર્મમાં પ્રમાદ ન કરશો ઇત્યાદિ આશીર્વચન રૂપ પ્રાર્થના કરી, નંદિવર્ધન આદિ સ્વજન વર્ગે સ્વામીને વંદન, નમસ્કાર, અભિનંદન, સ્તવનાદિ કર્યા પછી એક તરફ ગયા. બીજા પણ આનંદનો અશુપાત કરવા લાગ્યા. તે વખતે મહાવીર સ્વામીએ પણ તેમની પ્રાર્થનાને સ્વીકારી.
ત્યાર પછી પ્રભુએ (એક મુઠ્ઠી વડે દાઢી-મૂછનો અને ચાર મુઠ્ઠી વડે મસ્તકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org